March 26, 2026
ગુજરાત

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે. આ વખતે આ સ્વાગત કાર્યક્રમ બે દિવસનો રહેશે જે માટે અરજીઓ કરવાની રહેશે.

૨૩મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાનો અને ૨૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે.  જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નોની લેખિત રજૂઆત ૧૦મી ઓગસ્ટ સુધીમાં કરવા અનુરોધ કરવા સૂચિત કરાયું છે.

અધિક નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા
કક્ષાએ દર માસના ચોથા બુધવારે તથા જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

ઓગસ્ટ મહિનામાં તાલુકા કક્ષાએ તા. ૨૩ જુલાઈના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત બીજા દિવસે પણ તા. ૨૪ જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

અરજદારો જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો, ફરિયાદો જિલ્લા કલેક્ટરને મોકલી શકે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેનો આખરી નિકાલ કરી શકાય.

Related posts

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો