January 20, 2025
ગુજરાત

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે. આ વખતે આ સ્વાગત કાર્યક્રમ બે દિવસનો રહેશે જે માટે અરજીઓ કરવાની રહેશે.

૨૩મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાનો અને ૨૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે.  જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નોની લેખિત રજૂઆત ૧૦મી ઓગસ્ટ સુધીમાં કરવા અનુરોધ કરવા સૂચિત કરાયું છે.

અધિક નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા
કક્ષાએ દર માસના ચોથા બુધવારે તથા જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

ઓગસ્ટ મહિનામાં તાલુકા કક્ષાએ તા. ૨૩ જુલાઈના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત બીજા દિવસે પણ તા. ૨૪ જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

અરજદારો જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો, ફરિયાદો જિલ્લા કલેક્ટરને મોકલી શકે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેનો આખરી નિકાલ કરી શકાય.

Related posts

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો