June 27, 2026
ગુજરાત

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ 1થી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ગુજરાતમાં તેમજ ઉપરવાસમાંથી પાણીની વધુ આવક ડેમો સુધી પહોંચી છે. ત્યારે ડેમના દરવાજાઓ ખોલવાની કામગિરી કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરમતીમાં પાણીની આવક થઈ છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

નદીમાં પાણીની આવકના કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે કેમ કે, 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 3 દરવાદા 1.5 ફૂટ અને એક દરવાજો 1 ફૂટ સુધીટ ખોલવામાં આવ્યો છે. પાણીની વિપૂલ માત્રામાં આવક થતા એએમસી દ્વારા તકેદારી રખાતા દરવાજા ખોલવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનું પાણી અને ઉત્તર ગુજરાતનું પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મધ્ય ગુજરાત સાબરમતી નદી સુધી આવે છે ત્યારે પાણીનો ઓવરફ્લો ન થાય અને વિપરીત પરિસ્થિતિ ન બને તેને જોતા અત્યારથી જ પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ચોમાસાના એકથી દોઢ મહિના જેટલા સમયગાળામાં મોટાભાગના ડેમોમાં વિપૂલ પાણીની આવક થઈ રહી છે. રાજ્યના કેટલાક મોટો ડેમો ભયજન સપાટીની નજીક પણ પહોંચી રહ્યા છે.

Related posts

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો