શનિવાર ના રોજ સિદ્ધપુર ડેપો ની બસ,જે બરોડા થી અમદાવાદ ગીતામંદિર આવતા,જેમાં પેસેન્જર સબીર ભાઈ ગામ દશાવાડા ના વતની, જે ઓ સિધ્ધપુર ની ટિકિટ લઈ બસ માં બેઠેલ હતા , જયારે સિધ્ધપુર ઉતરતી વેળાએ તેઓ ના કહેવા મુજબ તેઓ પોતે પોતાનું દસ થી બાર હજારનો સામાન બસ માં ભૂલી ગયા હતા, અને ઓછામાં વધુ એમને એમ પણ જણાવ્યું કે કદાચ આ સમાન, મને ક્યારેય પરત નહીં મળે, હજી તો આવા વિચારો મારા મનમાં આવતા હતાં જ કે, તે ઘડીએ ફોનની રીંગ વાગી અને સામેથી વ્યક્તિએ પૂછ્યું કે તમે કંઈ સામાન્ ભૂલો છો???
બસ આ શબ્દો સાંભળતા ની સાથે સાબિર ભાઈ ની ખુશી નો પાર ન રહ્યો. કંડક્ટર મહેશ ભાઈબેઝ નંબર 530 ની તકેદારી અને ડ્રાઈવર ભરતસિંહ બીલિયા બેઝનંબર 1378 ની સમજદારી થી શબ્બીરભાઈ નો તરતજ કોન્ટેક કરી તેમનો સામાન પરત કરેલ, જે ખરેખર માનવતા ની એને ઈમાનદારી જોવા મળી હતી અને શબ્બીરભાઈ એ પણ ડ્રાઇવર અને કંડકટર બંનેનો આભાર માની કહ્યું હતું કે કળિયુગ મા પણ ઈમાનદાર લોકો હોય છે..

