March 26, 2026
ગુજરાત

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ 1થી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ગુજરાતમાં તેમજ ઉપરવાસમાંથી પાણીની વધુ આવક ડેમો સુધી પહોંચી છે. ત્યારે ડેમના દરવાજાઓ ખોલવાની કામગિરી કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરમતીમાં પાણીની આવક થઈ છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

નદીમાં પાણીની આવકના કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે કેમ કે, 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 3 દરવાદા 1.5 ફૂટ અને એક દરવાજો 1 ફૂટ સુધીટ ખોલવામાં આવ્યો છે. પાણીની વિપૂલ માત્રામાં આવક થતા એએમસી દ્વારા તકેદારી રખાતા દરવાજા ખોલવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનું પાણી અને ઉત્તર ગુજરાતનું પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મધ્ય ગુજરાત સાબરમતી નદી સુધી આવે છે ત્યારે પાણીનો ઓવરફ્લો ન થાય અને વિપરીત પરિસ્થિતિ ન બને તેને જોતા અત્યારથી જ પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ચોમાસાના એકથી દોઢ મહિના જેટલા સમયગાળામાં મોટાભાગના ડેમોમાં વિપૂલ પાણીની આવક થઈ રહી છે. રાજ્યના કેટલાક મોટો ડેમો ભયજન સપાટીની નજીક પણ પહોંચી રહ્યા છે.

Related posts

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

ગુજરાતમાં ૦૪ વોટર એરોડ્રોઅમ શરૂ કરાશે

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો