November 14, 2025
ગુજરાત

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ 1થી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ગુજરાતમાં તેમજ ઉપરવાસમાંથી પાણીની વધુ આવક ડેમો સુધી પહોંચી છે. ત્યારે ડેમના દરવાજાઓ ખોલવાની કામગિરી કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરમતીમાં પાણીની આવક થઈ છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

નદીમાં પાણીની આવકના કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે કેમ કે, 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 3 દરવાદા 1.5 ફૂટ અને એક દરવાજો 1 ફૂટ સુધીટ ખોલવામાં આવ્યો છે. પાણીની વિપૂલ માત્રામાં આવક થતા એએમસી દ્વારા તકેદારી રખાતા દરવાજા ખોલવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનું પાણી અને ઉત્તર ગુજરાતનું પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મધ્ય ગુજરાત સાબરમતી નદી સુધી આવે છે ત્યારે પાણીનો ઓવરફ્લો ન થાય અને વિપરીત પરિસ્થિતિ ન બને તેને જોતા અત્યારથી જ પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ચોમાસાના એકથી દોઢ મહિના જેટલા સમયગાળામાં મોટાભાગના ડેમોમાં વિપૂલ પાણીની આવક થઈ રહી છે. રાજ્યના કેટલાક મોટો ડેમો ભયજન સપાટીની નજીક પણ પહોંચી રહ્યા છે.

Related posts

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો