May 8, 2026
જીવનશૈલી

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

આપના હિન્દુ ધર્મમાં દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે તેમાં પણ કહેવાય છે કે અંગ દાન એ મહા દાન. હાલ અંગ દાન કરવા પર ભાર મુકાઈ રહયો છે. વ્યક્તિનું મૃત્યુ થતાં તે તો રાખ બની જાય છે પરંતુ જો તેનાં અંગોનું દાન કરવામાં આવે તો પાછળ કેટલાય લોકોને નવી જિંદગી મળી જાય છે તેથી આપણે અંગ દાન અવશ્ય કરવું જોઈએ. અંગ દાનનો મહિમા સમજાવતો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩૯ વર્ષની નાની વયે મૃત્યુ થતાં પરિવારે મૃતકના ચક્ષુ દાન કર્યા જેથી બીજા લોકોને નવી જિંદગી મળી શકે. મળતી માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા ભગીરથભાઈ રાદડીયાનું ૩૯ વર્ષની નાની વયે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારે તના પરિવારે માનવતા દાખવી તેમના ચક્ષુનું દાન કર્યું હતું. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના અધ્યક્ષ દ્વારા પરિવારને અંગ દાનનું મહત્વ સમજાવતા પરિવારે ચક્ષુ દાન કરવા માટે હાની ભરી હતી જેથી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડોકટર અને તેમની ટીમ દ્વારા મૃતકની ચક્ષુદાન પ્રક્રિયા કરેલી અને મોડી રાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ અને રાજકોટ સરકારી જી.ટી. શેઠ હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

Related posts

Korean Glass Skin: જો તમારે કોરિયન ગ્લાસ સ્કિન જોઈતી હોય તો તમારા ચહેરા પર આ એક વસ્તુનો ઉપયોગ કરો

Ahmedabad Samay

કાકડીને છોલવાની ભૂલ ન કરો, તેને છાલ સાથે ખાવાથી મળશે આ 4 ફાયદા

Ahmedabad Samay

ડેન્ગ્યુ-મેલેરિયાને જડમૂળથી ખતમ કરી દેશે એક આયુર્વેદિક ઔષધિ, મળશે બીજા ઘણા ફાયદા

Ahmedabad Samay

દહીંમાં પણ હોઈ શકે છે ભેળસેળ, ખરીદીને ખાતા હોવ તો જાણી લો આ FSSAI ગાઈડલાઈન્સ વિશે

Ahmedabad Samay

Easy Snack: કેપ્સિકમ શરીરમાં એનિમિયાની કમી પૂરી કરે છે, બસ આ રીતે બનાવો નાસ્તામાં…

Ahmedabad Samay

કબજિયાત, હાર્ટ હેલ્થ સહિત આ 5 બીમારીઓમાં ફાયદાકારક છે આ ચોખા, કરો ડાયેટમાં સામેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો