November 14, 2025
જીવનશૈલી

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

આપના હિન્દુ ધર્મમાં દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે તેમાં પણ કહેવાય છે કે અંગ દાન એ મહા દાન. હાલ અંગ દાન કરવા પર ભાર મુકાઈ રહયો છે. વ્યક્તિનું મૃત્યુ થતાં તે તો રાખ બની જાય છે પરંતુ જો તેનાં અંગોનું દાન કરવામાં આવે તો પાછળ કેટલાય લોકોને નવી જિંદગી મળી જાય છે તેથી આપણે અંગ દાન અવશ્ય કરવું જોઈએ. અંગ દાનનો મહિમા સમજાવતો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩૯ વર્ષની નાની વયે મૃત્યુ થતાં પરિવારે મૃતકના ચક્ષુ દાન કર્યા જેથી બીજા લોકોને નવી જિંદગી મળી શકે. મળતી માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા ભગીરથભાઈ રાદડીયાનું ૩૯ વર્ષની નાની વયે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારે તના પરિવારે માનવતા દાખવી તેમના ચક્ષુનું દાન કર્યું હતું. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના અધ્યક્ષ દ્વારા પરિવારને અંગ દાનનું મહત્વ સમજાવતા પરિવારે ચક્ષુ દાન કરવા માટે હાની ભરી હતી જેથી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડોકટર અને તેમની ટીમ દ્વારા મૃતકની ચક્ષુદાન પ્રક્રિયા કરેલી અને મોડી રાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ અને રાજકોટ સરકારી જી.ટી. શેઠ હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

Related posts

Healthy fruits: બીલી ફળ આ 7 રોગોને દૂર કરે છે, ફાયદાઓની યાદી લાંબી છે

Ahmedabad Samay

ફાટી ગયેલા દૂધને ફેંકી ન દેશો! ફેસ સીરમ બનાવીને ચહેરા પર લગાવો

Ahmedabad Samay

ફાસ્ટ ફૂડ, પકેટે ફૂડ, ઇન્સ્ટન્ટ ફૂડ અને કલાકો સુધી ખુરશી પર બેસી રહેવું પણ ચરબી વધારે છે, જે લીવરમાં જમા થઈને તેને નુકસાન પહોંચાડે છે અને ફેટી લીવરની સમસ્યા થાય છે,

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

કબીર સિંહની જેમ શું તમે દરેક સમયે ગુસ્સે થાઓ છો? આ રીતે ગુસ્સા પર બ્રેક લગાવો….

Ahmedabad Samay

શું શરીરના વધતા વજનને કારણે ચાલવું મુશ્કેલ થઈ ગયું છે? ઉનાળામાં આ ફળ ખાવાનું શરૂ કરો, ચરબી બરફની જેમ પીગળી જશે

admin

એક ટિપ્પણી મૂકો