February 9, 2025
જીવનશૈલી

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

આપના હિન્દુ ધર્મમાં દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે તેમાં પણ કહેવાય છે કે અંગ દાન એ મહા દાન. હાલ અંગ દાન કરવા પર ભાર મુકાઈ રહયો છે. વ્યક્તિનું મૃત્યુ થતાં તે તો રાખ બની જાય છે પરંતુ જો તેનાં અંગોનું દાન કરવામાં આવે તો પાછળ કેટલાય લોકોને નવી જિંદગી મળી જાય છે તેથી આપણે અંગ દાન અવશ્ય કરવું જોઈએ. અંગ દાનનો મહિમા સમજાવતો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩૯ વર્ષની નાની વયે મૃત્યુ થતાં પરિવારે મૃતકના ચક્ષુ દાન કર્યા જેથી બીજા લોકોને નવી જિંદગી મળી શકે. મળતી માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા ભગીરથભાઈ રાદડીયાનું ૩૯ વર્ષની નાની વયે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારે તના પરિવારે માનવતા દાખવી તેમના ચક્ષુનું દાન કર્યું હતું. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના અધ્યક્ષ દ્વારા પરિવારને અંગ દાનનું મહત્વ સમજાવતા પરિવારે ચક્ષુ દાન કરવા માટે હાની ભરી હતી જેથી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડોકટર અને તેમની ટીમ દ્વારા મૃતકની ચક્ષુદાન પ્રક્રિયા કરેલી અને મોડી રાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ અને રાજકોટ સરકારી જી.ટી. શેઠ હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

Related posts

૧૩ ઓગસ્ટ – વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

Ahmedabad Samay

ફાટી ગયેલા દૂધને ફેંકી ન દેશો! ફેસ સીરમ બનાવીને ચહેરા પર લગાવો

Ahmedabad Samay

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ

Ahmedabad Samay

શું મચ્છરોએ જીવન મુશ્કેલ બનાવ્યું છે? આજે જ કરો આ 5 સરળ ઉપાય, તો તમને શાંતિથી ઊંઘ આવશે

Ahmedabad Samay

ઇંડા કે દૂધ, શેમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જાણો કોનાથી કેટલો ફાયદા

Ahmedabad Samay

આપડા શરીરમાં જ અનેક વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે ” શરીરનું વિજ્ઞાન” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો