June 24, 2026
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

દિલ્હીના સીએમ કેજરીવાલ અને અને સાંસદ સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલીક સુનાવણીની માગ હોવાથી સુનાવણી થાય તેવી શક્યતા છે. પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના માનહાનિના કેસ મામલે વચગાળાની રાહત માટે સીએમ કેજરીવાલે કેસની તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માગ કરી છે.
સેશન્સ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વચગાળાની રાહત આપવામાં નથી આવી. સમન્સ પર વચગાળાચના હુકમથી રોકની માગ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે સેશન્સ કોર્ટના નિર્ણય સામે આ મામલે હાઈકોર્ટની અંદર રજૂઆત કરવામાં આવશે. અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 11 ઓગસ્ટના રોજ હાજર થવા મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ પાઠવી દીધું છે. આ મામલે સમન્સને પડકારતી અરજીમાં રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો.
પીએમની ડીગ્રીના મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પણ આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  યુનિવર્સિટીએ કહ્યું છે કે તેમના માટે આવું કરવું ફરજિયાત ન હતું, પરંતુ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એવી વાતો કરી હતી જેનાથી યુનિવર્સિટીની ઈમેજને ઠેસ પહોંચી છે. જેથી આ મામલે યુનિવર્સિટીએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ થયો છે. જેથી અગાઉ સમન્સ પણ કોર્ટ દ્વારા પાઠવવામાં આવ્યું હતું.

Related posts

CM રૂપાણીએ આંશિક લોકડાઉને લઇ આપ્યા રાહતના સમાચાર

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ – માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા, પોલીસે તેજ કરી તપાસ

Ahmedabad Samay

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો