December 10, 2025
ગુજરાત

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ શહેરના રિક્ષા ડ્રાઇવરો ‘રોજી-રોટી બચાવ આંદોલન’ કરવાના છે જેમાં રિક્ષાચાલકોની ૨૪મીના રોજ હડતાળ કરવાના છે. આ આંદોલનમાં એપ્લિકેશન થકી ચાલતા ટુ વ્હીલર બંધ કરવા ઉગ્ર માગણી કરવામાં આવી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડોની હેરાનગતિ બંધ કરવા સહિતની માગણીઓ કરવામાં આવશે. તથા નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે.

શહેરના રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી, આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. આ સાથે ટેક્સી યુનિયને પણ વિવિધ માગો અંગે સ્પષ્ટતા નહીં આવે તો આ હડતાળને ટેકો આપવાની પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ થાય અને ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપીડો કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી અમારી માગણી છે. આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરાઈ છે. નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે. જો સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવે તો અચોક્કસ મુદત માટે રિક્ષાચાલકો ઉતરશે. આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનમાં ટેક્સી યુનિયન પણ જોડાયેલ છે.

Related posts

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

આઇશા જેવો બીજો કિસ્સો બનતા બચી ગયો, કોર્પોરેશનમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એ દહેજ માંગણીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો