April 10, 2026
ગુજરાત

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ શહેરના રિક્ષા ડ્રાઇવરો ‘રોજી-રોટી બચાવ આંદોલન’ કરવાના છે જેમાં રિક્ષાચાલકોની ૨૪મીના રોજ હડતાળ કરવાના છે. આ આંદોલનમાં એપ્લિકેશન થકી ચાલતા ટુ વ્હીલર બંધ કરવા ઉગ્ર માગણી કરવામાં આવી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડોની હેરાનગતિ બંધ કરવા સહિતની માગણીઓ કરવામાં આવશે. તથા નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે.

શહેરના રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી, આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. આ સાથે ટેક્સી યુનિયને પણ વિવિધ માગો અંગે સ્પષ્ટતા નહીં આવે તો આ હડતાળને ટેકો આપવાની પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ થાય અને ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપીડો કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી અમારી માગણી છે. આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરાઈ છે. નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે. જો સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવે તો અચોક્કસ મુદત માટે રિક્ષાચાલકો ઉતરશે. આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનમાં ટેક્સી યુનિયન પણ જોડાયેલ છે.

Related posts

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

C.M વિજય રૂપાણી : લોકડાઉન-૪.૦ મંગળવારથી નવા નિયમો સાથે લાગુ.

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ ના રીપિટર વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો