May 9, 2026
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

દિલ્હીના સીએમ કેજરીવાલ અને અને સાંસદ સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલીક સુનાવણીની માગ હોવાથી સુનાવણી થાય તેવી શક્યતા છે. પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના માનહાનિના કેસ મામલે વચગાળાની રાહત માટે સીએમ કેજરીવાલે કેસની તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માગ કરી છે.
સેશન્સ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વચગાળાની રાહત આપવામાં નથી આવી. સમન્સ પર વચગાળાચના હુકમથી રોકની માગ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે સેશન્સ કોર્ટના નિર્ણય સામે આ મામલે હાઈકોર્ટની અંદર રજૂઆત કરવામાં આવશે. અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 11 ઓગસ્ટના રોજ હાજર થવા મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ પાઠવી દીધું છે. આ મામલે સમન્સને પડકારતી અરજીમાં રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો.
પીએમની ડીગ્રીના મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પણ આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  યુનિવર્સિટીએ કહ્યું છે કે તેમના માટે આવું કરવું ફરજિયાત ન હતું, પરંતુ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એવી વાતો કરી હતી જેનાથી યુનિવર્સિટીની ઈમેજને ઠેસ પહોંચી છે. જેથી આ મામલે યુનિવર્સિટીએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ થયો છે. જેથી અગાઉ સમન્સ પણ કોર્ટ દ્વારા પાઠવવામાં આવ્યું હતું.

Related posts

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ છે.૪ સિનેમા, ૨ હોસ્પિટલ અને ૨ ફૂડ કોર્ટ સીલ કર્યા

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો