November 13, 2025
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

દિલ્હીના સીએમ કેજરીવાલ અને અને સાંસદ સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલીક સુનાવણીની માગ હોવાથી સુનાવણી થાય તેવી શક્યતા છે. પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના માનહાનિના કેસ મામલે વચગાળાની રાહત માટે સીએમ કેજરીવાલે કેસની તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માગ કરી છે.
સેશન્સ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વચગાળાની રાહત આપવામાં નથી આવી. સમન્સ પર વચગાળાચના હુકમથી રોકની માગ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે સેશન્સ કોર્ટના નિર્ણય સામે આ મામલે હાઈકોર્ટની અંદર રજૂઆત કરવામાં આવશે. અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 11 ઓગસ્ટના રોજ હાજર થવા મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ પાઠવી દીધું છે. આ મામલે સમન્સને પડકારતી અરજીમાં રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો.
પીએમની ડીગ્રીના મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પણ આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  યુનિવર્સિટીએ કહ્યું છે કે તેમના માટે આવું કરવું ફરજિયાત ન હતું, પરંતુ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એવી વાતો કરી હતી જેનાથી યુનિવર્સિટીની ઈમેજને ઠેસ પહોંચી છે. જેથી આ મામલે યુનિવર્સિટીએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ થયો છે. જેથી અગાઉ સમન્સ પણ કોર્ટ દ્વારા પાઠવવામાં આવ્યું હતું.

Related posts

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

સી.આર. પાટીલનું ખાનપુર થી ઉમેદવારોને સંબોધન

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો