May 10, 2026
Other

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

ઐતિહાસિક અમદાવાદ શહેર એની કોમી એકતા અને ભાઈચારા માટે જગવિખ્યાત છે આ વિચારધારા ને વધારે મજબૂત બનાવવા મુસ્લિમ કોમના અગ્રણીઓ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે કોમી એકતા ને વધારે મજબૂત બનાવશે ચાલુ વર્ષે ગણપતિ વિસર્જન અને મુસ્લિમ તહેવાર ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના ઈદે મિલાદ ઉન નબી (festival) તહેવાર નિમિત્તે નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું જે નિર્ણય લેવાય છે

તે આવકારદાયક છે અને આ સંદર્ભમાં કુરેશી હોલ, મિરઝાપુર ખાતે જુલુસમાં ભાગ લેનાર તેમજ સ્વયંસેવકોની મિટિંગમાં શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી અને કાંરજ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી ની ઉપસ્થિતિમાં ઈદે મિલાદ ઉન નબી સમિતિના અધ્યક્ષ તસ્નીમ આલમ બાવાસાબ તિરમીઝી ને માનવ અધિકાર ગ્રુપ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મ ના પંડિત અશોક શાસ્ત્રી,પંડીત ઈશ્વરભાઈ જોષી, શીખ ધર્મના સરસપુર ગુરદ્વારા ના મુખ્ય જ્ઞાની હરપિતસિંહ, ગુરદિપસિંહ,પુવૅ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ, નિલેશભાઈ મેકવાન,અરવિંદભાઈ પટેલ તેમજ વિવિધ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કમિટી દ્વારા ધર્મ ગુરુઓ ને હાર-ફૂલ કરી આદર સન્માન કરવામાં આવ્યું હતું “કોમી એકતા જીન્દાબાદ”. .”હિન્દુસ્તાન કે ચાર સિપાહી… હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ” ના ગગન ચુંબી સત્રોચ્ચાર થી વાતાવરણ મા ગરમાશ આવી હતી

Related posts

GCS HoSpital 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરાયું

Ahmedabad Samay

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

દિનેશ પરતાપસિંહને વિજય બનાવા ખરહરા ગામમાં વેપારી મંડળના પ્રમુખ અને આશ્રયદાતા સાથે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો