June 22, 2026
અપરાધગુજરાત

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

AMTS બસે ફરી એકવાર શહેરમાં મોટો અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. AMTS બસે બાઈક ચાલકને ટક્કર મારી છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. રોડ વચ્ચે અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.

અમદાવાદના જુહાપુરામાં અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. AMTS બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. ત્યારે જુહાપુરા ખાતે આ ઘટના બની છે.

તાજેતરમાં AMTS અને BRTS બસના અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.  છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે.

જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહિ

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો