May 8, 2026
અપરાધગુજરાત

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

AMTS બસે ફરી એકવાર શહેરમાં મોટો અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. AMTS બસે બાઈક ચાલકને ટક્કર મારી છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. રોડ વચ્ચે અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.

અમદાવાદના જુહાપુરામાં અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. AMTS બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. ત્યારે જુહાપુરા ખાતે આ ઘટના બની છે.

તાજેતરમાં AMTS અને BRTS બસના અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.  છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે.

જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો