May 9, 2026
Other

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

ઐતિહાસિક અમદાવાદ શહેર એની કોમી એકતા અને ભાઈચારા માટે જગવિખ્યાત છે આ વિચારધારા ને વધારે મજબૂત બનાવવા મુસ્લિમ કોમના અગ્રણીઓ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે કોમી એકતા ને વધારે મજબૂત બનાવશે ચાલુ વર્ષે ગણપતિ વિસર્જન અને મુસ્લિમ તહેવાર ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના ઈદે મિલાદ ઉન નબી (festival) તહેવાર નિમિત્તે નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું જે નિર્ણય લેવાય છે

તે આવકારદાયક છે અને આ સંદર્ભમાં કુરેશી હોલ, મિરઝાપુર ખાતે જુલુસમાં ભાગ લેનાર તેમજ સ્વયંસેવકોની મિટિંગમાં શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી અને કાંરજ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી ની ઉપસ્થિતિમાં ઈદે મિલાદ ઉન નબી સમિતિના અધ્યક્ષ તસ્નીમ આલમ બાવાસાબ તિરમીઝી ને માનવ અધિકાર ગ્રુપ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મ ના પંડિત અશોક શાસ્ત્રી,પંડીત ઈશ્વરભાઈ જોષી, શીખ ધર્મના સરસપુર ગુરદ્વારા ના મુખ્ય જ્ઞાની હરપિતસિંહ, ગુરદિપસિંહ,પુવૅ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ, નિલેશભાઈ મેકવાન,અરવિંદભાઈ પટેલ તેમજ વિવિધ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કમિટી દ્વારા ધર્મ ગુરુઓ ને હાર-ફૂલ કરી આદર સન્માન કરવામાં આવ્યું હતું “કોમી એકતા જીન્દાબાદ”. .”હિન્દુસ્તાન કે ચાર સિપાહી… હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ” ના ગગન ચુંબી સત્રોચ્ચાર થી વાતાવરણ મા ગરમાશ આવી હતી

Related posts

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

અનલોક ૦૪ ની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો