June 24, 2026
Other

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

અમદાવાદ શહેરમાં રીક્ષા ચાલકો માટે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું છે. રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે. આ સાથે પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.

રીક્ષામાં અસામાજિક તત્વો દ્વારા થતી હેરફેર અંગેના ગુન્હા બન્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો છે.  12 ઇંચ×10 ઇંચ ની સાઈઝની પ્લેટમાં તમામ વિગતો દર્શાવવાની રહેશે. એક વાર લખાણ લખ્યા બાદ ભૂંસાય નહિ તે રીતે લખાણ લખવા સૂચના આપવામાં આવી છે.

એક મહિનાની અંદર તમામ રીક્ષા ચાલકોએ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.  1 ઓક્ટોબરથી જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવશે. 1 નવેમ્બરથી પોલીસ દ્વારા નિયમ ભંગ કરનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ,  મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Related posts

ઓઢવ પોલીસ દ્વારા કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બનાવતા આરોપીની કરી ધરપકડ

Ahmedabad Samay

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો