February 6, 2026
ગુજરાતરાજકારણ

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

દેશની ૧૭મી લોકસભાની મુદત પણ પૂર્ણ થવાની તૈયારીછે.   ગૃહમંત્રી અમીતભાઇ શાહ  વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાતમાં હાજર છે. તેવામાં ગતરોજ મોડી સાંજે ૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે.

આ લોકસભા ખૂબજ મહત્‍વની બની રહેશે તેનું મુખ્‍ય કારણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાની દિશા તરફ હરણફાણ ભરી રહયા છે. પ્રથમ પસંદગી બાદ ખૂબજ ટુંકા સમયમાં ૨૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહયા છે.

વડાપ્રધાન પોતાની પધ્‍ધતિ મુજબ નવા ચહેરાઓને પસંદ કરે તેમ જોવા મળી રહી છે. જો આ મુજબ પસંદગી કરવામાં આવે તો હાલના જે લોકસભાના સભ્‍યો છે તેમાં બાદબાકી થાય તેવા સભ્‍યોની યાદી તરફ એક નજર કરીએ(૧) વિનોદ ચાવડા-કચ્‍છ,(૨)ે પરબતભાઇ પટેલ-બનાસકાંઠા, (૩) ભરતસિંહજી ડાભી-પાટણ,(૪) શ્રીમતી શારદાબેન પટેલ-મહેસાણા,(૫) શ્રી દિપસિંહ રાઠોડ-સાબરકાંઠા, (૬) હસમુખભાઇ  પટેલ-અમદાવાદ પૂર્વ, (૭)  કિરીટ પટેલ,(૮) મોહનભાઇ કુંડારીયા-રાજકોટ,(૯) રમેશભાઇ ધડુક-પોરબંદર, (૧૦) રાજેશભાઇ ચુડાસમા-જૂનાગઢ, (૧૧) નારણભાઇ કાછડીયા-અમરેલી, (૧૨) ર્ડો. ભારતીબેન શિયાળ-ભાવનગર, (૧૩) મિતેશ પટેલ-આણંદ, (૧૪) રતનસિંહ રાઠોડ-પંચમહાલ, (૧૫) શ્રીમતિ રંજનબેન ભટ્ટ, (૧૬) શ્રીમતિ ગીતાબેન રાઠોડ-છોટાઉદેપુર, (૧૭) મનસુખ વસાવા-ભરૂચ, (૧૮) પ્રભુભાઇ વસાવા-બારડોલી, (૧૯) શ્રીમતિ દર્શના જરદોશ-સુરત, (૨૦) ર્ડો.કે.સી.પટેલ-વલસાડ

હાલમાં જે પાંચ ઉમેદવાર નકકી મનાય  છે તે તરફ એક નજર કરીએ. (૧) અમિતભાઇ શાહ, (૨) સી.આર.પાટીલ, (૩) દેેવુસિંહ ચૌહાણ, (૪) ર્ડો. મહેન્‍દ્રભાઇ મુંજપરા સુરેન્‍દ્રનગર, (૫) શ્રીમતિ પૂનમબેન માડમ, (૬) મનસુખભાઇ માંડવીયા.

Related posts

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

Ahmedabad Samay

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

પ્રધાનમંત્રી મોદીનું આજ રોજ સાંજે ૫.૩૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો