June 22, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

ધોળકા રોડ પર ફતેવાડી ખાતે આઝાદનગર પાસે મારુતિનગરમાં રહેતા યોગેશભાઈ પરમાર  સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. યોગેશભાઈ રવિવારે રાત્રે 8 વાગ્યે પત્ની મનિષાબેનને લઈ એક્ટિવા પર શાકભાજી લેવા નીકળ્યા હતા.

આ દરમિયાન ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે પુરઝડપે આવતા બાઈક ચાલકે ટક્કર મારતાં યોગેશભાઈ અને તેમના પત્ની હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા બન્નેને ગંભીર ઇજાઓ થઈ હતી. યોગેશભાઈને ચહેરા પર થયેલી ઇજાઓને પગલે સારવાર અર્થે શેલ્બી હોસ્પિટલ લઈ જતાં તેઓનું મોત નીપજ્યું હતું.

અકસ્માત અંગે યોગેશભાઈના પિતરાઈ ભાઈ નિરવભાઈ બારડે બાઈક ચાલક વિરુદ્ધ એમ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

દેવાયત ખવડ સહિત ૩ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

વડોદરાના ભાયલીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર છોટા હાથી સાથે ધડાકાભેર અથડાઈ, ઘટના CCTVમાં કેદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો