February 10, 2025
ગુજરાતઅપરાધ

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

ધોળકા રોડ પર ફતેવાડી ખાતે આઝાદનગર પાસે મારુતિનગરમાં રહેતા યોગેશભાઈ પરમાર  સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. યોગેશભાઈ રવિવારે રાત્રે 8 વાગ્યે પત્ની મનિષાબેનને લઈ એક્ટિવા પર શાકભાજી લેવા નીકળ્યા હતા.

આ દરમિયાન ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે પુરઝડપે આવતા બાઈક ચાલકે ટક્કર મારતાં યોગેશભાઈ અને તેમના પત્ની હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા બન્નેને ગંભીર ઇજાઓ થઈ હતી. યોગેશભાઈને ચહેરા પર થયેલી ઇજાઓને પગલે સારવાર અર્થે શેલ્બી હોસ્પિટલ લઈ જતાં તેઓનું મોત નીપજ્યું હતું.

અકસ્માત અંગે યોગેશભાઈના પિતરાઈ ભાઈ નિરવભાઈ બારડે બાઈક ચાલક વિરુદ્ધ એમ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

દિલ્હી: લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયો મારીને કરી યુવતીની હત્યા, કોલેજ નજીકથી મળી લાશ

Ahmedabad Samay

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો