RTE ACT – 2009 ની કલમ 12.1 . ( C ) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % લેખે ધોરણ -૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ અને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ હતો .
જેમાં આશરે ૬૮,૯૪૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો . RTE પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં ૭૬૦૧ ખાલી જગ્યાઓ સામે ૧૯,૭૧૨ જેટલા અરજદારો બાકી રહેવા પામેલ છે . તથા ગુજરાતી માધ્યમમાં ૨૪ ર ૬ ખાલી જગ્યાઓ સામે ૬૦,૨૯૭ જેટલા અરજદારો બાકી રહેવા પામેલ છે .
તથા હિન્દી અને અન્ય માધ્યમોમાં ૧૯૧૭ જેટલી ખાલી જગ્યાઓ સામે ૬૦ જેટલા અરજદારો બાકી રહેવા પામેલ છે જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને , RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે . જેથી , વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય .
જે વિધાર્થીઓ RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા : ૧૫ / o૯ / ર ૦ ર ૬ , બુધવાર થી તા : – ૧૭ / ૦૯ / ર ર , શુક્રવાર સુધીમાં RTE ના વેબપોર્ટલ http://te.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે .
ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે . શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનો ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે .
ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે . આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી
નોંધ : શાળાઓની પુન પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે . જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
