February 6, 2026
ગુજરાતરાજકારણ

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

દેશની ૧૭મી લોકસભાની મુદત પણ પૂર્ણ થવાની તૈયારીછે.   ગૃહમંત્રી અમીતભાઇ શાહ  વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાતમાં હાજર છે. તેવામાં ગતરોજ મોડી સાંજે ૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે.

આ લોકસભા ખૂબજ મહત્‍વની બની રહેશે તેનું મુખ્‍ય કારણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાની દિશા તરફ હરણફાણ ભરી રહયા છે. પ્રથમ પસંદગી બાદ ખૂબજ ટુંકા સમયમાં ૨૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહયા છે.

વડાપ્રધાન પોતાની પધ્‍ધતિ મુજબ નવા ચહેરાઓને પસંદ કરે તેમ જોવા મળી રહી છે. જો આ મુજબ પસંદગી કરવામાં આવે તો હાલના જે લોકસભાના સભ્‍યો છે તેમાં બાદબાકી થાય તેવા સભ્‍યોની યાદી તરફ એક નજર કરીએ(૧) વિનોદ ચાવડા-કચ્‍છ,(૨)ે પરબતભાઇ પટેલ-બનાસકાંઠા, (૩) ભરતસિંહજી ડાભી-પાટણ,(૪) શ્રીમતી શારદાબેન પટેલ-મહેસાણા,(૫) શ્રી દિપસિંહ રાઠોડ-સાબરકાંઠા, (૬) હસમુખભાઇ  પટેલ-અમદાવાદ પૂર્વ, (૭)  કિરીટ પટેલ,(૮) મોહનભાઇ કુંડારીયા-રાજકોટ,(૯) રમેશભાઇ ધડુક-પોરબંદર, (૧૦) રાજેશભાઇ ચુડાસમા-જૂનાગઢ, (૧૧) નારણભાઇ કાછડીયા-અમરેલી, (૧૨) ર્ડો. ભારતીબેન શિયાળ-ભાવનગર, (૧૩) મિતેશ પટેલ-આણંદ, (૧૪) રતનસિંહ રાઠોડ-પંચમહાલ, (૧૫) શ્રીમતિ રંજનબેન ભટ્ટ, (૧૬) શ્રીમતિ ગીતાબેન રાઠોડ-છોટાઉદેપુર, (૧૭) મનસુખ વસાવા-ભરૂચ, (૧૮) પ્રભુભાઇ વસાવા-બારડોલી, (૧૯) શ્રીમતિ દર્શના જરદોશ-સુરત, (૨૦) ર્ડો.કે.સી.પટેલ-વલસાડ

હાલમાં જે પાંચ ઉમેદવાર નકકી મનાય  છે તે તરફ એક નજર કરીએ. (૧) અમિતભાઇ શાહ, (૨) સી.આર.પાટીલ, (૩) દેેવુસિંહ ચૌહાણ, (૪) ર્ડો. મહેન્‍દ્રભાઇ મુંજપરા સુરેન્‍દ્રનગર, (૫) શ્રીમતિ પૂનમબેન માડમ, (૬) મનસુખભાઇ માંડવીયા.

Related posts

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

AMC દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

નમો સેના ઈંડિયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી ગૌરવસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો