August 8, 2026
તાજા સમાચાર

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે. નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

એકસચેન્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આવતા શનિવારે ઇકિવટી, ઇકિવટી ડેરિવેટિવ્ઝ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટ બંને ખુલ્લા રહેશે.

એકસચેન્જે માહિતી આપી હતી કે NSE અણધારી આફતોનો સામનો કરવા માટે સજ્જતા માટે પરીક્ષણ હાથ ધરશે. આ કારણોસર, NSE પર ૧૮ મેના રોજ પણ ટ્રેડિંગ થશે.

આ શનિવારે બે ભાગમાં વિશેષ સત્ર યોજાશે. પ્રથમ વિશેષ સત્ર સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે અને સવારે ૧૦ વાગ્યા સુધી ચાલશે. તે જ સમયે, ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી બીજું સત્ર સવારે ૧૧:૪૫ થી શરૂ થશે અને બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન, તમામ સિક્યોરિટીઝ કે જેના પર ડેરિવેટિવ પ્રોડકટ્સ ઉપલબ્ધ છે તેની મહત્તમ પ્રાઇસ બેન્ડ ૫ ટકા હશે. પહેલાથી જ ૨ ટકા અથવા તેનાથી ઓછી કિંમતની સિક્યોરિટીઝ સંબંધિત બેન્ડમાં ઉપલબ્ધ રહેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ બંધ થયેલા મ્યુચ્યુઅલ ફંડ પર ૫ ટકાની પ્રાઇસ બેન્ડ લાગુ થશે. તમામ ફ્યુચર્સ કોન્ટ્રાકટ માટે દૈનિક ઓપરેટિંગ મર્યાદા ૫% હશે.પરપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે દિવસે સિક્યોરિટીઝ અથવા ફ્યુચર્સ કોન્ટ્રાકટમાં કોઈ ફેરફાર અમલમાં આવશે નહીં.

Related posts

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો,60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો