શેરબજાર શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે. નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
એકસચેન્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આવતા શનિવારે ઇકિવટી, ઇકિવટી ડેરિવેટિવ્ઝ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટ બંને ખુલ્લા રહેશે.
એકસચેન્જે માહિતી આપી હતી કે NSE અણધારી આફતોનો સામનો કરવા માટે સજ્જતા માટે પરીક્ષણ હાથ ધરશે. આ કારણોસર, NSE પર ૧૮ મેના રોજ પણ ટ્રેડિંગ થશે.
આ શનિવારે બે ભાગમાં વિશેષ સત્ર યોજાશે. પ્રથમ વિશેષ સત્ર સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે અને સવારે ૧૦ વાગ્યા સુધી ચાલશે. તે જ સમયે, ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી બીજું સત્ર સવારે ૧૧:૪૫ થી શરૂ થશે અને બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન, તમામ સિક્યોરિટીઝ કે જેના પર ડેરિવેટિવ પ્રોડકટ્સ ઉપલબ્ધ છે તેની મહત્તમ પ્રાઇસ બેન્ડ ૫ ટકા હશે. પહેલાથી જ ૨ ટકા અથવા તેનાથી ઓછી કિંમતની સિક્યોરિટીઝ સંબંધિત બેન્ડમાં ઉપલબ્ધ રહેશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ બંધ થયેલા મ્યુચ્યુઅલ ફંડ પર ૫ ટકાની પ્રાઇસ બેન્ડ લાગુ થશે. તમામ ફ્યુચર્સ કોન્ટ્રાકટ માટે દૈનિક ઓપરેટિંગ મર્યાદા ૫% હશે.પરપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે દિવસે સિક્યોરિટીઝ અથવા ફ્યુચર્સ કોન્ટ્રાકટમાં કોઈ ફેરફાર અમલમાં આવશે નહીં.
