March 23, 2026
તાજા સમાચાર

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે. નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

એકસચેન્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આવતા શનિવારે ઇકિવટી, ઇકિવટી ડેરિવેટિવ્ઝ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટ બંને ખુલ્લા રહેશે.

એકસચેન્જે માહિતી આપી હતી કે NSE અણધારી આફતોનો સામનો કરવા માટે સજ્જતા માટે પરીક્ષણ હાથ ધરશે. આ કારણોસર, NSE પર ૧૮ મેના રોજ પણ ટ્રેડિંગ થશે.

આ શનિવારે બે ભાગમાં વિશેષ સત્ર યોજાશે. પ્રથમ વિશેષ સત્ર સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે અને સવારે ૧૦ વાગ્યા સુધી ચાલશે. તે જ સમયે, ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી બીજું સત્ર સવારે ૧૧:૪૫ થી શરૂ થશે અને બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન, તમામ સિક્યોરિટીઝ કે જેના પર ડેરિવેટિવ પ્રોડકટ્સ ઉપલબ્ધ છે તેની મહત્તમ પ્રાઇસ બેન્ડ ૫ ટકા હશે. પહેલાથી જ ૨ ટકા અથવા તેનાથી ઓછી કિંમતની સિક્યોરિટીઝ સંબંધિત બેન્ડમાં ઉપલબ્ધ રહેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ બંધ થયેલા મ્યુચ્યુઅલ ફંડ પર ૫ ટકાની પ્રાઇસ બેન્ડ લાગુ થશે. તમામ ફ્યુચર્સ કોન્ટ્રાકટ માટે દૈનિક ઓપરેટિંગ મર્યાદા ૫% હશે.પરપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે દિવસે સિક્યોરિટીઝ અથવા ફ્યુચર્સ કોન્ટ્રાકટમાં કોઈ ફેરફાર અમલમાં આવશે નહીં.

Related posts

નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત કાલે પ્રધાનમંત્રી માટે શપથ લેશે, પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

Ahmedabad Samay

પીએમ કિસાન / નથી મળ્યો 13મો હપ્તો તો ફક્ત કોલ પર થશે સમાધાન, ફટાફટ ડાયલ કરો આ નંબર

Ahmedabad Samay

અભિનેતા અને ફિલ્‍મ દિગ્‍દર્શક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. મનોજ કુમારે ૮૭ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું

Ahmedabad Samay

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન, ન્યુઝીલેન્ડ સામેની ૨૫ વર્ષ જૂની હારનો બદલો પણ લઈ લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો