June 24, 2026
તાજા સમાચાર

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે. નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

એકસચેન્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આવતા શનિવારે ઇકિવટી, ઇકિવટી ડેરિવેટિવ્ઝ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટ બંને ખુલ્લા રહેશે.

એકસચેન્જે માહિતી આપી હતી કે NSE અણધારી આફતોનો સામનો કરવા માટે સજ્જતા માટે પરીક્ષણ હાથ ધરશે. આ કારણોસર, NSE પર ૧૮ મેના રોજ પણ ટ્રેડિંગ થશે.

આ શનિવારે બે ભાગમાં વિશેષ સત્ર યોજાશે. પ્રથમ વિશેષ સત્ર સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે અને સવારે ૧૦ વાગ્યા સુધી ચાલશે. તે જ સમયે, ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી બીજું સત્ર સવારે ૧૧:૪૫ થી શરૂ થશે અને બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન, તમામ સિક્યોરિટીઝ કે જેના પર ડેરિવેટિવ પ્રોડકટ્સ ઉપલબ્ધ છે તેની મહત્તમ પ્રાઇસ બેન્ડ ૫ ટકા હશે. પહેલાથી જ ૨ ટકા અથવા તેનાથી ઓછી કિંમતની સિક્યોરિટીઝ સંબંધિત બેન્ડમાં ઉપલબ્ધ રહેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ બંધ થયેલા મ્યુચ્યુઅલ ફંડ પર ૫ ટકાની પ્રાઇસ બેન્ડ લાગુ થશે. તમામ ફ્યુચર્સ કોન્ટ્રાકટ માટે દૈનિક ઓપરેટિંગ મર્યાદા ૫% હશે.પરપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે દિવસે સિક્યોરિટીઝ અથવા ફ્યુચર્સ કોન્ટ્રાકટમાં કોઈ ફેરફાર અમલમાં આવશે નહીં.

Related posts

મહિલા ફૂટબોલ ટીમ AFC U-17 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનીને ઇતિહાસ રચવાથી માત્ર એક જીત દૂર

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

પનામા પેપર્સ લીક   કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને EDના સમન્સ પાઠવવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

પાણી પુરી ખાવા વાળા માટે ખાસ સમાચાર,સ્વાસ્થ માટે છે લાભદાયી પણ તેના ગેરફાયદા વાંચીને પકોડી ખાવાની છોડીન દેતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો