June 22, 2026
Other

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર સંદિગ્‍ધ આતંકી ઝડપાયા છે. ઝડપાયેલા ચારેય લોકો શ્રીલંકન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ગુજરાત ATSએ ૪ આતંકીઓને પકડ્‍યા છે. આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલાની શક્‍યતા છે. ઝડપાયેલા શ્રીલંકાના રહેવાસી હોવાની શક્‍યતા છે.

મળતી માહિતી પ્રમાણે, એટીએસએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારમાંથી બે આઇએસ અને બે શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે. આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. ૪ વાગ્‍યે ગુજરાત ATSના અધિકારીઓ પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરી શકે છે.

આ ત્રાસવાદીઓની અગાઉથી મળેલી બાતમી બાદ ધરપકડ થઇ હતી. હાલ બધાની ઉંડી પૂછપરછ ચાલુ છે. શું તેઓ ગુજરાતને ધણધણાવવા માંગતા હતા કે કેમ તેનો ખુલાસો પણ થશે.

NIA સામે મોસ્‍ટ વોન્‍ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્‍લાસ્‍ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્‍યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્‍બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્‍ગલથી પણ તપાસ કરી રહી છે.

ગુજરાત ATSએ આ પહેલા પણ ૨૦૨૩માં ISIS મોડ્‍યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્‍તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો