May 7, 2026
Other

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર સંદિગ્‍ધ આતંકી ઝડપાયા છે. ઝડપાયેલા ચારેય લોકો શ્રીલંકન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ગુજરાત ATSએ ૪ આતંકીઓને પકડ્‍યા છે. આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલાની શક્‍યતા છે. ઝડપાયેલા શ્રીલંકાના રહેવાસી હોવાની શક્‍યતા છે.

મળતી માહિતી પ્રમાણે, એટીએસએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારમાંથી બે આઇએસ અને બે શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે. આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. ૪ વાગ્‍યે ગુજરાત ATSના અધિકારીઓ પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરી શકે છે.

આ ત્રાસવાદીઓની અગાઉથી મળેલી બાતમી બાદ ધરપકડ થઇ હતી. હાલ બધાની ઉંડી પૂછપરછ ચાલુ છે. શું તેઓ ગુજરાતને ધણધણાવવા માંગતા હતા કે કેમ તેનો ખુલાસો પણ થશે.

NIA સામે મોસ્‍ટ વોન્‍ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્‍લાસ્‍ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્‍યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્‍બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્‍ગલથી પણ તપાસ કરી રહી છે.

ગુજરાત ATSએ આ પહેલા પણ ૨૦૨૩માં ISIS મોડ્‍યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્‍તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

Ahmedabad Samay

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો