February 14, 2026
Other

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર સંદિગ્‍ધ આતંકી ઝડપાયા છે. ઝડપાયેલા ચારેય લોકો શ્રીલંકન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ગુજરાત ATSએ ૪ આતંકીઓને પકડ્‍યા છે. આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલાની શક્‍યતા છે. ઝડપાયેલા શ્રીલંકાના રહેવાસી હોવાની શક્‍યતા છે.

મળતી માહિતી પ્રમાણે, એટીએસએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારમાંથી બે આઇએસ અને બે શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે. આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. ૪ વાગ્‍યે ગુજરાત ATSના અધિકારીઓ પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરી શકે છે.

આ ત્રાસવાદીઓની અગાઉથી મળેલી બાતમી બાદ ધરપકડ થઇ હતી. હાલ બધાની ઉંડી પૂછપરછ ચાલુ છે. શું તેઓ ગુજરાતને ધણધણાવવા માંગતા હતા કે કેમ તેનો ખુલાસો પણ થશે.

NIA સામે મોસ્‍ટ વોન્‍ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્‍લાસ્‍ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્‍યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્‍બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્‍ગલથી પણ તપાસ કરી રહી છે.

ગુજરાત ATSએ આ પહેલા પણ ૨૦૨૩માં ISIS મોડ્‍યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્‍તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Samay

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો