June 24, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાત એ હિંદીભાષી રાષ્ટ્રીય સંગઠન દ્વારા વસ્ત્રાલ માં બનેલી ઘટના દુખદ અને નીંદનીય ગણાવી છે. આવી ઘટના માં સંડોવાયેલા અસમાજીક તત્વો ને કડક થી કડક સજા થાય એવી માંગ છે અને ઉપરોક્ત મામલે અમારો પોલીસ અને ગુજરાત સરકાર ને સમર્થન પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ઉપરોક્ત ઘટના પછી ગુજરાત ના ચૂંટાયેલા જન પ્રીતિનિધિઓ દ્વારા પરપ્રાંતીય સમાજ ને દોશી ઠેરવી હિંદીભાષી તેમજ પર પ્રાંતિય સમાજ વિષે નકારત્મક ટીપ્પણીઓ કરવામાં આવી છે, જેનો ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવે છે,ગુજરાત ભાજપ ના ધારાસભ્યો અને કોંગ્રેસ ના ધારાસભ્ય દ્વારા આવી ટિપ્પણી ખુબજ શરમ જનક છે, મણિનગર , અમરાઇવાડી અને સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય દ્વારા આપપેલ પરપ્રાંતિય વિષે ની ટિપ્પણી નીંદનીય છે.
ગુન્હેગારો નો કોઈ સમાજ નથી હોતો ..
ગુજરાત માં વસતા હિંદીભાષી / પર પ્રાંતિયો લાંબા સામે થી ભાજપ ની વૉટબેંક રહ્યા છે તેમજ હિન્દી બેલ્ટમાં પણ સમર્થન આપીને ભારત માં ભાજપ ની સરકાર બનાવવામાં એમનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમ છતાંય આવા સંજોગોમાં પર પ્રાંતિય સમાજ ને અસમાજીક બતાવી નકારત્મક ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરપ્રાંતીય સમાજ પર આપેલ નકારત્મક ટિપ્પણી બદલ ધારાસભ્યો જાતે માનફી માંગે એવી અમારી માંગ છે.

અન્યથા આગામી દિવશોમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દિલ્લી સુધી ઉપરોક્ત બાબત ની લેખિત રજૂઆત કરી આવનારી ચુંટણી માં શું કરવું તે વિષે તમામ સમાજ એક સાથે બેસી ચિંતન કરવામાં આવશે,
મણિનગર ,સાબરમતી અને અમરાઈવાડી વિધાનસભામાં જો માત્ર 20 %પરપ્રાંતીય નકારાત્મક વોટ કરશે તો આ સીટો જીતવી શક્ય નહીં રહે.

Related posts

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

ખોખરા વિસ્તારમાં આવેલી ભગવાનદાસની ચાલીમાં એક યુવકની કરપીણ હત્યા

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી જોડાયા ઉત્તરભારતીય વિકાસ પરિસદમાં અન્ય લોકોને પણ મોટા પ્રમાણમાં જોડાવા અપીલ કરી

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો