May 10, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાત એ હિંદીભાષી રાષ્ટ્રીય સંગઠન દ્વારા વસ્ત્રાલ માં બનેલી ઘટના દુખદ અને નીંદનીય ગણાવી છે. આવી ઘટના માં સંડોવાયેલા અસમાજીક તત્વો ને કડક થી કડક સજા થાય એવી માંગ છે અને ઉપરોક્ત મામલે અમારો પોલીસ અને ગુજરાત સરકાર ને સમર્થન પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ઉપરોક્ત ઘટના પછી ગુજરાત ના ચૂંટાયેલા જન પ્રીતિનિધિઓ દ્વારા પરપ્રાંતીય સમાજ ને દોશી ઠેરવી હિંદીભાષી તેમજ પર પ્રાંતિય સમાજ વિષે નકારત્મક ટીપ્પણીઓ કરવામાં આવી છે, જેનો ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવે છે,ગુજરાત ભાજપ ના ધારાસભ્યો અને કોંગ્રેસ ના ધારાસભ્ય દ્વારા આવી ટિપ્પણી ખુબજ શરમ જનક છે, મણિનગર , અમરાઇવાડી અને સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય દ્વારા આપપેલ પરપ્રાંતિય વિષે ની ટિપ્પણી નીંદનીય છે.
ગુન્હેગારો નો કોઈ સમાજ નથી હોતો ..
ગુજરાત માં વસતા હિંદીભાષી / પર પ્રાંતિયો લાંબા સામે થી ભાજપ ની વૉટબેંક રહ્યા છે તેમજ હિન્દી બેલ્ટમાં પણ સમર્થન આપીને ભારત માં ભાજપ ની સરકાર બનાવવામાં એમનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમ છતાંય આવા સંજોગોમાં પર પ્રાંતિય સમાજ ને અસમાજીક બતાવી નકારત્મક ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરપ્રાંતીય સમાજ પર આપેલ નકારત્મક ટિપ્પણી બદલ ધારાસભ્યો જાતે માનફી માંગે એવી અમારી માંગ છે.

અન્યથા આગામી દિવશોમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દિલ્લી સુધી ઉપરોક્ત બાબત ની લેખિત રજૂઆત કરી આવનારી ચુંટણી માં શું કરવું તે વિષે તમામ સમાજ એક સાથે બેસી ચિંતન કરવામાં આવશે,
મણિનગર ,સાબરમતી અને અમરાઈવાડી વિધાનસભામાં જો માત્ર 20 %પરપ્રાંતીય નકારાત્મક વોટ કરશે તો આ સીટો જીતવી શક્ય નહીં રહે.

Related posts

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

Ahmedabad Samay

IPL 2026 સીઝનના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને જીત સાથે પ્રારંભ કર્યો

Ahmedabad Samay

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

Ahmedabad Samay

હવે નરોડામાં મધ્યમવર્ગી બાળક પણ ભણશે સ્માર્ટ સ્કૂલમાં, નરોડામાં બનશે પ્રાઇવેટ સ્કૂલને માત આપતી સ્માર્ટ સ્કૂલ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો