June 24, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાત એ હિંદીભાષી રાષ્ટ્રીય સંગઠન દ્વારા વસ્ત્રાલ માં બનેલી ઘટના દુખદ અને નીંદનીય ગણાવી છે. આવી ઘટના માં સંડોવાયેલા અસમાજીક તત્વો ને કડક થી કડક સજા થાય એવી માંગ છે અને ઉપરોક્ત મામલે અમારો પોલીસ અને ગુજરાત સરકાર ને સમર્થન પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ઉપરોક્ત ઘટના પછી ગુજરાત ના ચૂંટાયેલા જન પ્રીતિનિધિઓ દ્વારા પરપ્રાંતીય સમાજ ને દોશી ઠેરવી હિંદીભાષી તેમજ પર પ્રાંતિય સમાજ વિષે નકારત્મક ટીપ્પણીઓ કરવામાં આવી છે, જેનો ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવે છે,ગુજરાત ભાજપ ના ધારાસભ્યો અને કોંગ્રેસ ના ધારાસભ્ય દ્વારા આવી ટિપ્પણી ખુબજ શરમ જનક છે, મણિનગર , અમરાઇવાડી અને સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય દ્વારા આપપેલ પરપ્રાંતિય વિષે ની ટિપ્પણી નીંદનીય છે.
ગુન્હેગારો નો કોઈ સમાજ નથી હોતો ..
ગુજરાત માં વસતા હિંદીભાષી / પર પ્રાંતિયો લાંબા સામે થી ભાજપ ની વૉટબેંક રહ્યા છે તેમજ હિન્દી બેલ્ટમાં પણ સમર્થન આપીને ભારત માં ભાજપ ની સરકાર બનાવવામાં એમનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમ છતાંય આવા સંજોગોમાં પર પ્રાંતિય સમાજ ને અસમાજીક બતાવી નકારત્મક ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરપ્રાંતીય સમાજ પર આપેલ નકારત્મક ટિપ્પણી બદલ ધારાસભ્યો જાતે માનફી માંગે એવી અમારી માંગ છે.

અન્યથા આગામી દિવશોમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દિલ્લી સુધી ઉપરોક્ત બાબત ની લેખિત રજૂઆત કરી આવનારી ચુંટણી માં શું કરવું તે વિષે તમામ સમાજ એક સાથે બેસી ચિંતન કરવામાં આવશે,
મણિનગર ,સાબરમતી અને અમરાઈવાડી વિધાનસભામાં જો માત્ર 20 %પરપ્રાંતીય નકારાત્મક વોટ કરશે તો આ સીટો જીતવી શક્ય નહીં રહે.

Related posts

મહારાણા પ્રતાપ સિંહની 486મી જન્મજયંતિ આજે અમદાવાદમાં ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવી

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો