March 16, 2026
તાજા સમાચારદુનિયાદેશ

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વઘી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસથી ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. આ વખતે કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-૧૯થી મળતકોની સંખ્‍યા એક સપ્તાહમાં જ લગભગ બમણી થઈ ગઈ છે.

બ્રિટન સરકારના તાજા આંકડા પ્રમાણે, એક સપ્તાહમાં ૧૦૧ લોકોના કોવિડ-૧૯થી મોત થયા હતા. ડેથ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી હતી. જે ગત સપ્તાહ કરતાં ૬૫ ટકા વધારે હતી. આ પહેલા જાન્‍યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૧૧ લોકોના મોત થયા હતા. અચાનક કોરોના કેસ અને મળત્‍યુમાં થઈ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી ગઈ છે.

હેલ્‍થ એક્‍સપર્ટ અનુસાર, ઓમિક્રોનનો સબ વેરિઅન્‍ટ જેએન.૧ આ પાછળ જવાબદાર છે. આ વેરિઅન્‍ટ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે અને મુખ્‍ય સ્‍ટ્રેન બની ગયો છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ અને હૉસ્‍પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્‍યા વધી છે.

 એશિયાના અનેક દેશોમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. સિંગાપુરમાં કોરોનાના કેસ ૧૧,૧૦૦થી વધીને ૧૪,૨૦૦ પર પહોંચી ગયા છે. હોસ્‍પિટલમાં દાખલ થનારા દર્દીની સરેરાશ સંખ્‍યા પણ ૧૦૨થી વધીને ૧૩૩ પર પહોંચી છે. થાઈલેન્‍ડમાં કોરોના કેસ ૩૩,૦૦૦ને પાર થઈ ગયા છે. સરકારે નાગરિકોને બૂસ્‍ટર ડોઝ લેવાની અપીલ કરી છે.

હાલ કોરોનાના વધી રહેલા કેસને લઈ ગભરાવાની જરૂર નથી પરંતુ વાયરસના નવા રૂપ અને ઝડપથી વધતા કેસને લઈ સતર્ક રહેવાની જરૂર છે. હેલ્‍થ એજન્‍સીઓ સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂર હોય તો માસ્‍ક, હાથ ધોવા અને ભીડથી બચવા જેવી સાવધાની રાખવા જણાવી રહી છે.(૩૮.૭)

Related posts

મહારાષ્ટ્રમાં ૨૧ લોકોમાં કોરોનાના નવો વેરીયન્ટ જોવા મળ્યા,૦૭ ગામમાં લોકડાઉન

Ahmedabad Samay

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

રાજસ્થાનમાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ, ગેહલોત સરકારે રાંધણ ગેસમાં આપી રાહત, ફક્ત ૫૦૦રૂ. મળશે ગેસ સિલેન્ડર

Ahmedabad Samay

કાશીના પંડિત સંજય ઉપાધ્યાયે ઈન્ડિયા એલાયન્સ, ભાજપ અને વડાપ્રધાન મોદીની કુંડળીના આધારે વિશ્લેષણ અહેવાલ તૈયાર કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો