March 28, 2026
સિવિલ હોસ્પિટલ
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી વધુ એક મોત સારવાર હેઠળ રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેણે આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે. આ કિશોરીને બચાવવા માટે ડોકટરો દ્વારા રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઇન્જેક્શનો સહિતના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટના સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની મહિલાઓની સંખ્યા ૪ થઈ ગઈ છે, જેમાં અગાઉ ૩ મહિલાઓના મોત થયા હતા.

 

આ વચ્ચે એક સારા સમાચાર પણ છે કે આજે ૨૭ જેટલા દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને, ખાસ કરીને જે દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે, તેઓને પોતાના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય, તો તેમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી અને તાત્કાલિક તબીબી સલાહ લેવી અત્યંત આવશ્યક બની છે.

Related posts

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો