March 23, 2026
ગુજરાત

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં બુધવાર રાત સુધી કોરોના ના ૨.૮૫ લાખ કેસ સામે આવી ચૂકયા છે. તેમાંથી લગભગ ૮ હજાર લોકોનાં મોત થઈ ચૂકયા છે. દેશમાં સૌથી વધુ મોતનો આંકડો મહારાષ્ટ્રનો છે. ત્યારબાદ ગુજરાત અને દિલ્હીમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

મુંબઈએ સૌથી વધુ લોકો ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ  અને દિલ્હી આવે છે. પરંતુ આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવે તો ગંભીર વાત સામે આવે છે કેે મુંબઈમાં ભલે વધારે લોકોનાં મોત થયા હોય પરંતુ ડેથ રેટમાં અમદાવાદ પહેલા નંબરે છે.

૮ જૂનના આંકડા મુજબ કોરોનાની તપાસના મામલે દિલ્હી સૌથી સારી સ્થિતિમાં છે, જયારે ગુજરાત ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીમાં ૧૩,૦૫૩ લોકોની તપાસ થઈ છે. આ મામલામાં મહારાષ્ટ્ર – ૫૧૯૮ બીજા અને ગુજરાત – ૪૧૭૨ ત્રીજા સ્થાને છે.

મુંબઈ, અમદાવાદ, દિલ્હીની તુલનામાં- મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં કેટલા લોકોનાં મોત થઈ ચૂકયા છે? ડેથ રેટ કયાં વધુ છે એટલે કે વસ્તીના હિસાબથી કયાં સૌથી વધુ ખતરો છે? આ સવાલોના જવાબમાં મુંબઈ અને અમદાવાદનું નામ આવે છે. મુંબઈમાં દેશના કોઈ પણ શહેરથી વધુ મોત થયા છે.

પરંતુ ડેથ રેટમાં અમદાવાદ સૌથી આગળ છે.૮ જૂન સુધીના આંકડાઓ મુજબ અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીમાં ૧૮૨ લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મુંબઈમાં ડેથ રેટ ૮૮ અને દિલ્હીમાં ૪૫ છે. એટલે કે, અમદાવાદનો ડેથ રેટ દિલ્હીથી ચાર ગણાથી પણ વધુ છે.

Related posts

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો