June 24, 2026
ગુજરાત

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

અમદાવાદમાં રાજ્‍યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ, બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું છે, આ પાસપોર્ટ કેન્‍દ્રમાં વિવિધ ૩૬ કાઉન્‍ટર બનાવાયા છે. તેમાં પહેલા દિવસે ૬૦૦ લોકોને એપોઈન્‍ટમેન્‍ટ અપાઈ હતી. તથા પૂર્વ વિસ્‍તારના લોકોને મોટી રાહત થશે. જેમાં નડિયાદ, આણંદ, ખેડાના લોકોને મોટી મદદ મળશે.

આ કેન્‍દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્‍દ્ર બંધ કરી દેવામાં આવશે.આ કેન્‍દ્રની ક્ષમતા ૨ હજાર અરજદારની છે. આ કેન્‍દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્‍દ્ર બંધ કરી દેવામાં આવશે. નવા પાસપોર્ટ સેન્‍ટરમાં ૩ વિંગ હશે, જેમાં કુલ મળીને ૩૬ કાઉન્‍ટર હશે. આજે ૨૦ અરજદારોને બોલાવીને ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેથી જો કોઈ સમસ્‍યા હોય તો તે જાણી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય.

વિજય ચાર રસ્‍તા પરનું પાસપોર્ટ સેન્‍ટર ચાલુ જ રહેશે. મીઠાખળી જુના પાસપોર્ટ સેન્‍ટરમાં રોજના ૮૦૦ અરજદારના પાસપોર્ટ ડોકયુમેન્‍ટ સબમિટ થાય છે. પણ અહીં જગ્‍યા વધારે ન હોવાને કારણે લોકોને બેસવાની જગ્‍યા મળતી નથી, સાથે જ ર્પાકિંગની જગ્‍યા પણ ન હોવાને કારણે પણ લોકોને સમસ્‍યા થાય છે. ત્‍યારે બાપુનગરમાં વ્‍હાઇટ હાઉસ ખાતે નવા પાસપોર્ટ કેન્‍દ્રમાં આ બાબતોને ધ્‍યાનમાં રાખવામાં આવી છે.

નવા પાસપોર્ટ સેન્‍ટરમાં ૩ વિંગ મળીને કુલ મળીને ૩૬ કાઉન્‍ટર હશે. જેમાં એક વિંગમાં ૨૦ કાઉન્‍ટર શરૂ કરી દેવામાં આવશે, જ્‍યાં  સ્‍ટાફ ડોકયુમેન્‍ટ – ફિંગર પ્રિન્‍ટ લેશે. જયારે બીજા વિંગમાં ૧૦ કાઉન્‍ટરમાંથી ૬ શરૂ કરવામાં આવશે, અહીં પાસપોર્ટનો સ્‍ટાફ ડોકયુમેન્‍ટ વેરિફાઇ કરવાનું કામ કરશે, જયારે ત્રીજા વિંગમાં ૬ કાઉન્‍ટરમાંથી ૩ થી૪ શરૂ કરી દેવામાં આવશે, જ્‍યાં કચેરીનો સ્‍ટાફ અંતિમ ફાઇલ ગ્રાન્‍ટ કરશે

Related posts

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

ગાંધીનગરનું ગિફટ સિટી, ભારતનું અગ્રણી ટેક હબ, એક વિશાળ મનોરંજન, છૂટક અને મનોરંજન ક્ષેત્રનું અનાવરણ કરવા માટે તૈયાર લંડન આઇ જેવું વિશાળ ચકડોળ બનશે

Ahmedabad Samay

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો