નગરપાલિકામાં નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા અને કાયમી ભરતી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી છે.
મનીષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે, શિક્ષિત બેરોજગારોની જગ્યાએ નિવૃત કર્મચારીઓને અપાશે. યુવાઓને બેરોજગારી અને નિવૃત લોકોને રૂ. ૩૦ થી ૬૦ હજારની નોકરી આપશે સરકાર શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગનો પણ અવળો નિર્ણય છે. પ જિલ્લાની ૧૦ નગરપાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત કર્મચારી કે અધિકારીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા છે. પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોન માટે નિવૃત લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે.
