સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરતની પ્રજા માટે નવો પ્રયોગ કરી લોકોને વ્યાજ માફીયાઓ સુધી ન જવુ પડે તેવો ઉકેલ શોધી કાઢયો છે, આ ઉકેલ એટલે લોન મેળો, રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તથા બેન્કો પાસે અનેક પ્રકારની યોજના હોય છે.
અજયકુમાર તોમર દ્વારા આવા વ્યાજ ખોરોથી મુક્તિ મેળવવા માટે લૉન મેળાનું અયોજન કરવામાં આવ્યું હતું, આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે કલેકટર તંત્ર, મહાનગરપાલિકા તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના જાણકારો સાથે બેંકના જાણકારો મોટા પાયે હાજર રહયા અને લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો રાજય સરકાર દ્વારા પણ આ અભિગમની ખૂબ પ્રશંસા થયેલ છે
