June 24, 2026
ધર્મ

કરવા ચોથ નિમિતે માર્કેટમાં લાગી ભીડ

કરવા ચોથ માત્ર ભાવનાઓનો તહેવાર જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્રને પ્રોત્‍સાહન આપતો તહેવાર બની ગયો છે. આ કારણે દેશભરના વેપારીઓ આ તહેવારને ખાસ બનાવવા માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. આ વર્ષે ઘરેણાં, કપડાં, સૌંદર્ય પ્રસાધનો, ભેટની વસ્‍તુઓ, મીઠાઈઓ અને અન્‍ય સુશોભન વસ્‍તુઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

નવરાત્રિની શરૂઆત સાથે, બજારમાં તહેવારોની મોસમ તેજીમાં આવી છે. આજે કરવા ચોથના તહેવાર માટે દેશભરના બજારો પણ શણગારવામાં આવ્‍યા છે. સોના-ચાંદીના બજારો અને કપડાંની દુકાનોમાં સૌથી વધુ ચહલપહલ જોવા મળી રહી છે.

વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે બજારમાં અગાઉના કરવા ચોથ કરતાં વધુ ચહલપહલ જોવા મળી રહી છે. એવી અપેક્ષા છે કે આનાથી વ્‍યવસાય પર પણ અસર પડશે. કન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ (CAIT) ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્‍યું હતું કે કરવા ચોથ પર દેશભરમાં લગભગ રૂા.૨૫,૦૦૦ કરોડની ખરીદી અને વેચાણ થવાની ધારણા છે. ગયા વર્ષે, ટર્નઓવર લગભગ રૂા.૨૨,૦૦૦ કરોડ હતું.

બુલિયન વેપારીઓ કહે છે કે સોના અને ચાંદીના વધતા ભાવને કારણે ઘરેણાંની ખરીદીમાં ઘટાડો થવાની ધારણા છે. ખાસ કરીને સોનું સતત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને હાલમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂા.૧.૨૬ લાખની આસપાસ છે. ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ  રૂા.૧.૬૩ લાખ પર પહોંચી ગઈ છે. આવી સ્‍થિતિમાં, મોટાભાગની મહિલાઓ એક કે બે ગ્રામ વજનના નાના સોનાના દાગીના ખરીદવાનું આયોજન કરી રહી છે. બુલિયન વેપારીઓના મતે, રેકોર્ડ ઊંચા ભાવને કારણે, કરવા ચોથ પર વજન પ્રમાણે સોનાનું વેચાણ ઘટી શકે છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં મૂલ્‍ય પ્રમાણે વેચાણ વધવાની ધારણા છે.

છેલ્‍લા બે દિવસથી બજારોમાં ખરીદીના ઉત્‍સાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. કપડાં અને ઘરેણાંથી લઈને સૌંદર્ય પ્રસાધનો, ભેટની વસ્‍તુઓ અને પૂજાની વસ્‍તુઓ સુધી, ઘણી ખરીદી થઈ છે. જ્‍યારે સોનાની પૂછપરછ થઈ રહી છે, ત્‍યારે ખરીદી ઓછી છે.

Related posts

1 થી 9 સુધીમાં આ નંબર હોય છે સૌથી પ્રભાવશાળી, આ લોકો અમીરીમાં વિતાવે છે તેમનું જીવન

Ahmedabad Samay

શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા ઘરમાં લગાવો આ 5 ચમત્કારી છોડ, પૂરી થશે દરેક મનોકામના

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા.૦૭ થી ૧૩ જૂન ૨૦૨૧

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

Today Horoscope: આ 4 રાશિના જાતકોને આજે નોકરી-ધંધાના કામમાં ખૂબ જ સારા સમાચાર મળશે, જોરદાર ધનલાભ થવાની સંભાવના

Ahmedabad Samay

જાણો આજનો પંચાંગ, રવિવારની તિથિ, શુભ મુહૂર્ત, રાહુ કાલ અને અન્ય વિગતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો