May 12, 2026
ગુજરાતરાજકારણ

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ. ૧૦ ઓક્‍ટોબરથી ૧૭ ઓક્‍ટોબર વચ્‍ચે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરીને ૬ જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ..પ્રવાસનો પ્રારંભ અને પ્રથમ દિવસનો કાર્યક્રમ.

પ્રદેશ અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે સવારે અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત કરી છે.

અંબાજીમાં દર્શન બાદ, તેઓ પાલનપુર ખાતે આયોજિત કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ, પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના આગેવાનો સાથે ભોજન લઈને સિદ્ધપુર જવા રવાના થશે. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધીની યાત્રા દરમિયાન આવતા અનેક ગામોમાં તેઓ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરશે. અંતે, ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં GSTમાં રાહતને અનુલક્ષીને સ્‍ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

Related posts

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો