July 22, 2026
ધર્મ

કરવા ચોથ નિમિતે માર્કેટમાં લાગી ભીડ

કરવા ચોથ માત્ર ભાવનાઓનો તહેવાર જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્રને પ્રોત્‍સાહન આપતો તહેવાર બની ગયો છે. આ કારણે દેશભરના વેપારીઓ આ તહેવારને ખાસ બનાવવા માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. આ વર્ષે ઘરેણાં, કપડાં, સૌંદર્ય પ્રસાધનો, ભેટની વસ્‍તુઓ, મીઠાઈઓ અને અન્‍ય સુશોભન વસ્‍તુઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

નવરાત્રિની શરૂઆત સાથે, બજારમાં તહેવારોની મોસમ તેજીમાં આવી છે. આજે કરવા ચોથના તહેવાર માટે દેશભરના બજારો પણ શણગારવામાં આવ્‍યા છે. સોના-ચાંદીના બજારો અને કપડાંની દુકાનોમાં સૌથી વધુ ચહલપહલ જોવા મળી રહી છે.

વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે બજારમાં અગાઉના કરવા ચોથ કરતાં વધુ ચહલપહલ જોવા મળી રહી છે. એવી અપેક્ષા છે કે આનાથી વ્‍યવસાય પર પણ અસર પડશે. કન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ (CAIT) ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્‍યું હતું કે કરવા ચોથ પર દેશભરમાં લગભગ રૂા.૨૫,૦૦૦ કરોડની ખરીદી અને વેચાણ થવાની ધારણા છે. ગયા વર્ષે, ટર્નઓવર લગભગ રૂા.૨૨,૦૦૦ કરોડ હતું.

બુલિયન વેપારીઓ કહે છે કે સોના અને ચાંદીના વધતા ભાવને કારણે ઘરેણાંની ખરીદીમાં ઘટાડો થવાની ધારણા છે. ખાસ કરીને સોનું સતત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને હાલમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂા.૧.૨૬ લાખની આસપાસ છે. ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ  રૂા.૧.૬૩ લાખ પર પહોંચી ગઈ છે. આવી સ્‍થિતિમાં, મોટાભાગની મહિલાઓ એક કે બે ગ્રામ વજનના નાના સોનાના દાગીના ખરીદવાનું આયોજન કરી રહી છે. બુલિયન વેપારીઓના મતે, રેકોર્ડ ઊંચા ભાવને કારણે, કરવા ચોથ પર વજન પ્રમાણે સોનાનું વેચાણ ઘટી શકે છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં મૂલ્‍ય પ્રમાણે વેચાણ વધવાની ધારણા છે.

છેલ્‍લા બે દિવસથી બજારોમાં ખરીદીના ઉત્‍સાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. કપડાં અને ઘરેણાંથી લઈને સૌંદર્ય પ્રસાધનો, ભેટની વસ્‍તુઓ અને પૂજાની વસ્‍તુઓ સુધી, ઘણી ખરીદી થઈ છે. જ્‍યારે સોનાની પૂછપરછ થઈ રહી છે, ત્‍યારે ખરીદી ઓછી છે.

Related posts

આ દિવસે ઉજવાશે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિની સ્થાપનાથી લઈને પૂજા કરવાની રીત, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

શ્રાદ્ધ અમાસના દિવસે થઈ રહ્યું છે સૂર્યગ્રહણ, શું શ્રાદ્ધ કરવાથી લાગશે દોષ?

Ahmedabad Samay

માતા કેમ નથી જોતી પોતાના પુત્રના લગ્નના ફેરા? જાણો આની પાછળ છુપાયા છે એક નહીં, ઘણા કારણો

Ahmedabad Samay

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

Ahmedabad Samay

૦૫ જૂલાઇ સોમવાર ના રોજ યોગિની એકાદશી,જાણો તેની મહિમા અને કેવીરીતે કરવું વ્રત શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો