May 10, 2026
ધર્મ

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ છે  માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં આવેલા બદ્રીનાથ લગભગ 3100 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં જવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે. આ વર્ષે 2025માં બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે, ભક્તો કયા શુભ સમયે દર્શન કરી શકશે.

બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથના કપાટ ખુલવા જઈ રહ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ આજ રોજ સવારે 6 વાગ્યે ખુલશે. બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીં ગયા વિના ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

ધામના કપાટ ખોલતા પહેલા બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રવિવારે કપાટ ખુલતા પહેલા જ શનિવાર સાંજથી દર્શન પથ પર તીર્થ યાત્રીઓની લાઈનો લાગી ગઈ છે.

Related posts

9 દિવસ પછી ખુલશે આ 3 રાશિઓનું ભાગ્ય, ચારે બાજુથી થશે ધનનો વરસાદ; તિજોરી ભરવામાં આવશે

Ahmedabad Samay

ગુરુ ઉદય કરશે અને આ 4 રાશિઓનું ભાગ્ય ચમકાવશે, બસ હજુ 3 દિવસ રાહ જુઓ

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

Ahmedabad Samay

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

4 અક્ષરના આ નામો જન્મથી જ અબજોપતિ છે, તેઓ સંપૂર્ણ લક્ઝરી જીવન જીવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો