February 8, 2026
ધર્મ

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ છે  માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં આવેલા બદ્રીનાથ લગભગ 3100 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં જવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે. આ વર્ષે 2025માં બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે, ભક્તો કયા શુભ સમયે દર્શન કરી શકશે.

બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથના કપાટ ખુલવા જઈ રહ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ આજ રોજ સવારે 6 વાગ્યે ખુલશે. બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીં ગયા વિના ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

ધામના કપાટ ખોલતા પહેલા બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રવિવારે કપાટ ખુલતા પહેલા જ શનિવાર સાંજથી દર્શન પથ પર તીર્થ યાત્રીઓની લાઈનો લાગી ગઈ છે.

Related posts

જાણો આ સપ્તાહ રહેશે કઇ રાશિનું ખાસ અને કોને સાચવીને રહેવું પડશે ષડ્યંત્ર થી. જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા સાપ્તાહિક રાશિફળ

Ahmedabad Samay

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ 4 તારીખે જન્મેલા લોકો મજબૂતીથી નથી જાળવી શકતા કોઈપણ સંબંધ, સ્વભાવ હોય છે શંકાશીલ

Ahmedabad Samay

નવા વર્ષે આટલું કરીલો, વાસ્તુ અનુસાર ચીજ વસ્તુઓને આ રીતે મૂકો જેથી તમારા નસીબ ખૂલી જશે

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા.૦૭ થી ૧૩ જૂન ૨૦૨૧

Ahmedabad Samay

Weekly Rashifal: આ રાશિના જાતકો આ સપ્તાહ માટે ભાગ્યશાળી રહેશે, જલ્દી પ્રમોશન મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો