March 25, 2026
ધર્મ

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ છે  માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં આવેલા બદ્રીનાથ લગભગ 3100 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં જવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે. આ વર્ષે 2025માં બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે, ભક્તો કયા શુભ સમયે દર્શન કરી શકશે.

બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથના કપાટ ખુલવા જઈ રહ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ આજ રોજ સવારે 6 વાગ્યે ખુલશે. બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીં ગયા વિના ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

ધામના કપાટ ખોલતા પહેલા બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રવિવારે કપાટ ખુલતા પહેલા જ શનિવાર સાંજથી દર્શન પથ પર તીર્થ યાત્રીઓની લાઈનો લાગી ગઈ છે.

Related posts

દેશના એકમાત્ર માતૃશ્રાદ્ધ એવા બિંદુ સરોવરનો થશે વિકાસ, ૩૩ કરોડના માળખાગત સુવિધા ઉભી કરાશે

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં વિધર્મીએ કરી તોડફોડ, સ્થાનિકોમાં ભારે રોષ

Ahmedabad Samay

જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો

Ahmedabad Samay

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા 

Ahmedabad Samay

અંબાજી માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ 14 ઓક્ટોબર, 2025ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો