February 5, 2026
ગુજરાતધર્મ

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી. આ અવસર પર મહંત 108 અનુપમદાસજી ગુરુ 1008 સંતદાસજી (ગિરનારીબાપુ)ની ચાદર વિધી વિધિપૂર્વક સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે રાજ્ય સહિત દેશભરમાંથી આશરે 250થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરના જગતગુરુ દિલીપદાસજી મહારાજ, ડાકોરના મહામંડલેશ્વર જયરામદાસજી મહારાજ તથા પંચમુખી હનુમાન મંદિરના મહામંડલેશ્વર ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી જેવા અગ્રણી સંતોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ અંગે અશોકસિંહે જણાવ્યું કે મહંત રામબાલકદાસજી ગુરુ સંતદાસજીના 8 સપ્ટેમ્બરના સાકેતવાસ બાદ તેમનો ભંડારો રવિવારે યોજાયો હતો, જેમાં હજારો ભક્તોએ પ્રસાદી લીધી હતી. ધર્મસભા દરમિયાન મહંત અનુપમદાસજીએ ગૌ સેવા, સમાજ સેવા અને સનાતન એકતા જેવા વિષયો પર ભાર મૂક્યો હતો. સંતોએ એક સ્વરથી સંકલ્પ લીધો કે સૌ મળી સનાતન ધર્મના પ્રચાર અને સમાજને એકમંચ લાવવાના પ્રયત્નો ચાલુ રાખશે.

Related posts

અમદાવાદ – સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

સારહિ યુથ કલબ દ્વારા યોજાયેલ કોરોના રસીકરણના મેગા કંપની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી

Ahmedabad Samay

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો