June 24, 2026
ગુજરાત

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્‍યમંત્રી કાંતિભાઈ અમળતિયાની પ્રેરક ઉપસ્‍થિતિ કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનો મહિમામંડિત કરતા હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્‍પિત રાષ્‍ટ્ર જીવનનો મહામાર્ગ અને  આપણી આઝાદીનો ધબકાર ગણાવ્‍યો છે.

૧૮૭૫માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ ૭મી નવેમ્‍બરે પૂર્ણ થયા છે તેની રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્‍ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્‍દો ‘ત્‍વમ હી પ્રાણા શરીરે’ એટલે કે પ્રત્‍યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્‍પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધાં છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામળત શક્‍તિ, કન્‍યા કેળવણી, ગરીબ-વંચિતોનું કલ્‍યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ-સમળદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે.

Related posts

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં રસ્તાપર ચાલતા લોકો માટે વિદેશ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

Ahmedabad Samay

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો