May 21, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, મેઘાણીનગરના રહીશ યુવકે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. જોકે, આ આપઘાત પાછળનું કારણ અત્યંત ગંભીર છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે વિસ્તારના જ એક કુખ્યાત બુટલેગર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં યુવકે સ્પષ્ટપણે ‘માનવ’ નામના શખ્સનું નામ લીધું છે અને જણાવ્યું છે કે આ બુટલેગર તેને લાંબા સમયથી માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો

આ વાયરલ વીડિયોમાં યુવકની વ્યથા સાફ દેખાઈ રહી છે, જેમાં તે પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યો છે. બુટલેગરના ત્રાસને કારણે યુવક એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેને મોતને વહાલું કરવું વધુ યોગ્ય લાગ્યું. ઘટનાની જાણ થતા જ મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકના પરિવારજનો અને સ્થાનિકોમાં બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે. આ કેસમાં પોલીસ વીડિયોના આધારે તપાસ તેજ કરે તેવી શક્યતા છે

Related posts

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

અમદાવાદ સોલા પોલીસે હથિયારો રેકેટે ઝડપી પાડ્યું, બેની કરી અટકાયત

Ahmedabad Samay

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

Ahmedabad Samay

મહિલા વ્યાજખોરનો આતંક : કુણોલ (નવાઘરા)ના પશુપાલકે 2.50 લાખ ના દસ ટકા લેખે 4.50 લાખ પરત આપ્યા છતાં 7 લાખનો ખોટો કેસ કર્યો

Ahmedabad Samay

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, અડધો દેશ પાણી વિના સૂકોભઠ્ઠ બનશે તો અડધો દેશ પૂરના પાણીમાં ડૂબશે

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો