August 6, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, મેઘાણીનગરના રહીશ યુવકે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. જોકે, આ આપઘાત પાછળનું કારણ અત્યંત ગંભીર છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે વિસ્તારના જ એક કુખ્યાત બુટલેગર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં યુવકે સ્પષ્ટપણે ‘માનવ’ નામના શખ્સનું નામ લીધું છે અને જણાવ્યું છે કે આ બુટલેગર તેને લાંબા સમયથી માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો

આ વાયરલ વીડિયોમાં યુવકની વ્યથા સાફ દેખાઈ રહી છે, જેમાં તે પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યો છે. બુટલેગરના ત્રાસને કારણે યુવક એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેને મોતને વહાલું કરવું વધુ યોગ્ય લાગ્યું. ઘટનાની જાણ થતા જ મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકના પરિવારજનો અને સ્થાનિકોમાં બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે. આ કેસમાં પોલીસ વીડિયોના આધારે તપાસ તેજ કરે તેવી શક્યતા છે

Related posts

હવસખોર પ્રિન્સિપાલની બજરંગ દળ દ્વારા કરાઇ ધરપકડ, LC ના બદલે માતા પાસે કરી શારીરિક માંગણી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ યાત્રા અંગે માહિતી આપી હતી.

Ahmedabad Samay

મણીનગર પોલીસે યુક્તિથી થી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેળવી વધુ એક સફળતા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો