કોરોના કેસ વધતા મેચ દર્શકો વિના રમાવાની હોવાથી દર્શકો દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટોને રિફંડ પરત કરવાનું નિર્ણય કરવામાં આવ્યું હતું
ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટે ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે . રીફંડ પ્રક્રિયા આજ રોજ બપોરે 3.00 શરૂ કરી છે અને માર્ચ 22 , 2021 ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે .
ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટે ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા માર્ચ 18 , 2021 થી માર્ચ 22 , 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે . ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે . ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીકુંડ તેની છાપેલી કિંમત ( ફેસ વેલ્યુ ) મુજબ જેન્યુઇન / ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે . ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે .
નોંધ: કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં .
