March 29, 2026
મોદી
દેશરાજકારણ

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

પ્રધાન નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે બિહારમાં મળેલા જબરદસ્‍ત વિજયે તોફાન મચાવ્‍યું છે. તેમણે કહ્યું કે કેટલીક પાર્ટીઓએ માય તુષ્ટિકરણ ફોર્મ્‍યુલા ઘડી હતી, પરંતુ આ જીતના નવા માય તુષ્ટિકરણ ફોર્મ્‍યુલાએ સ્‍થિતિ બદલી નાખી છે.

પીએમ મોદીએ કહ્યું કે ગંગા બિહારથી બંગાળ તરફ વહે છે… બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે. અમે બંગાળમાંથી પણ જંગલરાજ દૂર કરીશું.

પીએમ મોદીએ આગળ કહ્યું, હું બંગાળના ભાઈઓ અને બહેનોને પણ અભિનંદન આપું છું. હવે, તમારી સાથે મળીને, ભાજપ પヘમિ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખેડી નાખશે. ૨૦૨૬ માં પヘમિ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે.

વડાપ્રધાનએ વધુમાં જણાવ્‍યું હતું કે બિહારની જીતથી કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પヘમિ બંગાળમાં ભાજપના કાર્યકરોમાં ઉત્‍સાહ ફેલાયો છે. અને હા, જેમ ગંગા બિહારથી બંગાળ તરફ વહે છે, તેમ બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે.

પક્ષે કહ્યું કે આ દાવો માત્ર ગેરમાન્‍યતૉ નથી, પરંતુ ૨૦૨૬ ની ચૂંટણીઓ મમતા બેનર્જીને ચોથી મુદત માટે સત્તામાં લાવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે મમતા બેનર્જી ભારતીય ગઠબંધનના સૌથી મજબૂત નેતા છે અને તેમને રાષ્ટ્રીય ચહેરો બનાવવો જોઈએ.

ટીએમસીના પ્રવક્‍તા કુણાલ ઘોષે વડા પ્રધાન મોદીના આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી કે જેમ ગંગા બિહારથી બંગાળ તરફ વહે છે, તેવી જ રીતે ભાજપની જીત પણ થશે. ઘોષે આને રાજકીય રસાયણશાષાની ખોટી ગણતરી ગણાવી.

તેમણે કહ્યું કે બંગાળના લોકોએ ભાજપની નફરતની રાજનીતિને વારંવાર નકારી કાઢી છે, અને ૨૦૨૬ માં આ પુનરાવર્તન થશે. ઘોષે કહ્યું કે બંગાળ આજે દેશના સૌથી સુરક્ષિત રાજ્‍યોમાંનું એક છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ, હાથરસ અને પ્રયાગરાજ જેવા કિસ્‍સાઓએ સાબિત કર્યું છે કે વાસ્‍તવિક જંગલ રાજ ક્‍યાં છે

Related posts

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોનો સમાવેશ, મંત્રીઓને આ પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

મનસુખ માંડવિયાએ અચાનક મુલાકાતમાં જયારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો