August 21, 2026
દુનિયાદેશરાજકારણ

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને એકબીજાને ભેટી પડ્યા. એરપોર્ટ પર પુતિનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું, જેમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ પીએમ મોદી અને પુતિન એરપોર્ટથી વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી એક જ કારમાં મુસાફરી કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે કહ્યું, “હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનું દિલ્હીમાં સ્વાગત કરીને ખુશ છું. હું આજે સાંજે અને આવતીકાલે આપણી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે, જેનો લાભ બંને દેશોના લોકોને મળ્યો છે.” પ્રધાનમંત્રીએ રશિયન રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રાષ્ટ્રપતિ પુતિનનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેઓ ચાર વર્ષ પછી પાછા ફર્યા છે. પીએમ મોદી આજે રાત્રે પુતિનના સન્માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. આ મુલાકાત બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુતિન 23મા ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે ભારતમાં પહોંચ્યા હતા, જે બંને દેશો વચ્ચે વાર્ષિક બેઠક છે. પુતિન વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, બંને નેતાઓ તેલથી લઈને S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી અને મુક્ત વેપાર કરાર (FTA) જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

અહીં, પીએમ મોદી પ્રોટોકોલ તોડીને રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. પીએમ મોદીના આ પગલાથી રશિયા પણ આશ્ચર્યચકિત થયું. ક્રેમલિને દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આની અપેક્ષા રાખતા ન હતા. ક્રેમલિને ઉમેર્યું હતું કે ભારતીય પક્ષે અગાઉ જાણ કરી ન હતી કે વડા પ્રધાન વ્યક્તિગત રીતે એરપોર્ટ પર પહોંચશે. રશિયાએ આને આદર અને મિત્રતાના પ્રતીક તરીકે જોયું.

Related posts

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

કરણી સેનાએ ‘રક્ત આત્મસન્માન સંમેલન’માં પોતાની એકતા દર્શાવી,દેશભરમાંથી 3 લાખથી વધુ રાજપૂતો ઉપસ્થિત રહ્યા , ગુજરાત થી રાજ શેખાવત પણ રહ્યા હાજર

Ahmedabad Samay

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

Ahmedabad Samay

આ નાણાકીય વર્ષમાં આવા ઘણા ફેરફારો થવાના છે જેનો ફાયદો મધ્‍યમ વર્ગને થશે

Ahmedabad Samay

T20 વલર્ડ કપ ઓસ્ટ્રેલિયાએ કર્યું કબજે, શાનદાર પ્રદશન કરી મેળવ્યો વલર્ડ કપનો તાજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો