April 2, 2026
ગુજરાત

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી ચર્ચાનો વિષય રહેલી આ ફિલ્‍મને ૨૦૨૬ માં સમગ્ર ભારતમાં રિલીઝ થનારી મુખ્‍ય ફિલ્‍મમાંની એક માનવામાં આવે છે.

નાગબંધમનું દિગ્‍દર્શન અભિષેક નામા દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મમાં વિરાટ કર્ણ, નભા નટેશ, જગપતિ બાબુ અને રિષભ સાહની મુખ્‍ય ભૂમિકાઓમાં જોવા મળશે. નિર્માણ કિશોર અન્નાપુરેડ્ડી અને નિશિતા નાગિરેડ્ડી દ્વારા કરવામાં આવ્‍યું છે. અભિષેક નામાએ વાર્તા, સ્‍ક્રીનપ્‍લે અને દિગ્‍દર્શનની જવાબદારીઓ પણ સંભાળી છે.

ફિલ્‍મ જાહેરાત થઈ ત્‍યારથી, નાગબંધમ ૨૦૨૬ ની સૌથી વધુ ચર્ચિત ફિલ્‍મોમાં ગણાય છે. આ ફિલ્‍મની વાર્તામાં ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસામાં ઊંડા મૂળ જોવા મળશે, તેમાં દેશના ભવ્‍ય ભૂતકાળ અને તેના સુવર્ણ યુગમાંથી પ્રેરણા લેવામાં આવી છે. આ ફિલ્‍મ ભારતીય સિનેમામાં ભાગ્‍યે જ દર્શાવવામાં આવતા પૌરાણિક કથાઓના પાસાઓ પણ ઉજાગર કરશે.

ફિલ્‍મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં જાદુઈ દુનિયાની રહસ્‍યમય ઝલક બતાવવામાં આવી છે. ફિલ્‍મ નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્‍મમાં ભવ્‍ય વિઝ્‍યુઅલ્‍સ, વીએફએકસ, શક્‍તિશાળી બેકગ્રાઉન્‍ડ સ્‍કોર અને પ્રભાવશાળી પાત્રોનું આકર્ષક સંયોજન દર્શાવવામાં આવશે. ટીમ સતત પાત્રના પોસ્‍ટરો અને અન્‍ય અપડેટ્‍સ રિલીઝ કરી રહી છે.

નાગબંધમ સમગ્ર્ર ભારતમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્‍મ નિર્માતાઓને દર્શકો તરફથી સકારાત્‍મક સ્‍વાગતની અપેક્ષા છે. ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્‍મ દર્શકોને એક વ્‍યાપક સિનેમેટિક અનુભવ પહોંચાડવાનો હેતુ ધરાવે છે

Related posts

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો