February 5, 2026
ગુજરાત

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

એક જીગ્નેશ મેવાણી અને AAP બન્ને મળી દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ વિરોધ પ્રદશન કરી રહ્યા છે અને સભાઓ કરી રહ્યા છે જ્યારે  રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠયો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્‍યું છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે ત્રણ દિવસની શિબિરના અંતિમ દિવસે એક જુનિયર કક્ષાના અધિકારી દ્વારા આડકતરી રીતે દારૂબંધી હળવી કરવાનુૅ સૂચન થયું હતું અને એ સમયે બેઠકમાં સ્‍તબ્‍ધતા છવાઇ ગઇ હતસ. અધિકારીના જણાવ્‍યા મુજબ એ અધિકારીએ એમ સમજાવવાનો પ્રયત્‍ન કર્યો હતો કે, આપણે ઇઝ ઓફ લિવિંગની વાતો કરીએ છીએ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાતો કરીએ છીઅ તો ઇઝ ઓફ એન્‍જોયમેન્‍ટ શા માટે નહીં. જો આપણે ઇઝ ઓફ ઓફ એન્‍જોયમેન્‍ટ માટે પગલાં લઇએ તો રાજયમાં પ્રવાસન ક્ષેત્રને એનાથી મોટો લાભ થઇ શકે.

દારૂબંધી હળવી કરવા માટે આડકતરી રીતે થયુલું આ સૂચન અધિકારઇઓમાં અને શિબિરમાં ભારે ચર્ચાસ્‍પદ બન્‍યું છે. ભૂતકાળમાં રાજયના સિનિયર અધિકારોઓ દ્વારા પ્રવાસન ઉદ્યોગને વિસ્‍તારવા માટે દારૂબંધી હળવી કરવા એકથી વધુ વખત સૂચનો થઇ ચૂકયાં છે, જેની અહીં યાદ અપાવવી રીહ છે.

ખુદ રાજય સરકારે પણ બે વર્ષ પહેલા ગાંધીનગરની ગિફટસિટીમાં રોકાણને વેગ આપવા સ્‍થાનિક ધોરણે દારૂ પીવા માટે છૂટછાટો જાહેર કરેલી છે. ત્‍યારે ર૦૩૦માં અમદાવાદમાં રમાનારી કોમનવેલ્‍થ ગેમ્‍સના સંદર્ભમાં દારૂબંધી વધુ હળવી કરવા રાજય સરકાર ઉપરોકત ભલામણ પછી શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Related posts

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

અમદાવાદના જિલ્લા મદદનીશ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળા તથા અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા માહિતીદર્શક કાર્યક્રમનું આયોજન

Ahmedabad Samay

ભાજપે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

સ્વતંત્રતા દિન નિમિત્તે શ્રી રાકેશસિંહ રામવીરસિંહને MSM સર્ટિફિકેટ એનાયત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો