August 21, 2026
ગુજરાત

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી ચર્ચાનો વિષય રહેલી આ ફિલ્‍મને ૨૦૨૬ માં સમગ્ર ભારતમાં રિલીઝ થનારી મુખ્‍ય ફિલ્‍મમાંની એક માનવામાં આવે છે.

નાગબંધમનું દિગ્‍દર્શન અભિષેક નામા દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મમાં વિરાટ કર્ણ, નભા નટેશ, જગપતિ બાબુ અને રિષભ સાહની મુખ્‍ય ભૂમિકાઓમાં જોવા મળશે. નિર્માણ કિશોર અન્નાપુરેડ્ડી અને નિશિતા નાગિરેડ્ડી દ્વારા કરવામાં આવ્‍યું છે. અભિષેક નામાએ વાર્તા, સ્‍ક્રીનપ્‍લે અને દિગ્‍દર્શનની જવાબદારીઓ પણ સંભાળી છે.

ફિલ્‍મ જાહેરાત થઈ ત્‍યારથી, નાગબંધમ ૨૦૨૬ ની સૌથી વધુ ચર્ચિત ફિલ્‍મોમાં ગણાય છે. આ ફિલ્‍મની વાર્તામાં ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસામાં ઊંડા મૂળ જોવા મળશે, તેમાં દેશના ભવ્‍ય ભૂતકાળ અને તેના સુવર્ણ યુગમાંથી પ્રેરણા લેવામાં આવી છે. આ ફિલ્‍મ ભારતીય સિનેમામાં ભાગ્‍યે જ દર્શાવવામાં આવતા પૌરાણિક કથાઓના પાસાઓ પણ ઉજાગર કરશે.

ફિલ્‍મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં જાદુઈ દુનિયાની રહસ્‍યમય ઝલક બતાવવામાં આવી છે. ફિલ્‍મ નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્‍મમાં ભવ્‍ય વિઝ્‍યુઅલ્‍સ, વીએફએકસ, શક્‍તિશાળી બેકગ્રાઉન્‍ડ સ્‍કોર અને પ્રભાવશાળી પાત્રોનું આકર્ષક સંયોજન દર્શાવવામાં આવશે. ટીમ સતત પાત્રના પોસ્‍ટરો અને અન્‍ય અપડેટ્‍સ રિલીઝ કરી રહી છે.

નાગબંધમ સમગ્ર્ર ભારતમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્‍મ નિર્માતાઓને દર્શકો તરફથી સકારાત્‍મક સ્‍વાગતની અપેક્ષા છે. ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્‍મ દર્શકોને એક વ્‍યાપક સિનેમેટિક અનુભવ પહોંચાડવાનો હેતુ ધરાવે છે

Related posts

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

વડોદરા બાદ જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો