April 2, 2026
ગુજરાત

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી ચર્ચાનો વિષય રહેલી આ ફિલ્‍મને ૨૦૨૬ માં સમગ્ર ભારતમાં રિલીઝ થનારી મુખ્‍ય ફિલ્‍મમાંની એક માનવામાં આવે છે.

નાગબંધમનું દિગ્‍દર્શન અભિષેક નામા દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મમાં વિરાટ કર્ણ, નભા નટેશ, જગપતિ બાબુ અને રિષભ સાહની મુખ્‍ય ભૂમિકાઓમાં જોવા મળશે. નિર્માણ કિશોર અન્નાપુરેડ્ડી અને નિશિતા નાગિરેડ્ડી દ્વારા કરવામાં આવ્‍યું છે. અભિષેક નામાએ વાર્તા, સ્‍ક્રીનપ્‍લે અને દિગ્‍દર્શનની જવાબદારીઓ પણ સંભાળી છે.

ફિલ્‍મ જાહેરાત થઈ ત્‍યારથી, નાગબંધમ ૨૦૨૬ ની સૌથી વધુ ચર્ચિત ફિલ્‍મોમાં ગણાય છે. આ ફિલ્‍મની વાર્તામાં ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસામાં ઊંડા મૂળ જોવા મળશે, તેમાં દેશના ભવ્‍ય ભૂતકાળ અને તેના સુવર્ણ યુગમાંથી પ્રેરણા લેવામાં આવી છે. આ ફિલ્‍મ ભારતીય સિનેમામાં ભાગ્‍યે જ દર્શાવવામાં આવતા પૌરાણિક કથાઓના પાસાઓ પણ ઉજાગર કરશે.

ફિલ્‍મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં જાદુઈ દુનિયાની રહસ્‍યમય ઝલક બતાવવામાં આવી છે. ફિલ્‍મ નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્‍મમાં ભવ્‍ય વિઝ્‍યુઅલ્‍સ, વીએફએકસ, શક્‍તિશાળી બેકગ્રાઉન્‍ડ સ્‍કોર અને પ્રભાવશાળી પાત્રોનું આકર્ષક સંયોજન દર્શાવવામાં આવશે. ટીમ સતત પાત્રના પોસ્‍ટરો અને અન્‍ય અપડેટ્‍સ રિલીઝ કરી રહી છે.

નાગબંધમ સમગ્ર્ર ભારતમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્‍મ નિર્માતાઓને દર્શકો તરફથી સકારાત્‍મક સ્‍વાગતની અપેક્ષા છે. ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્‍મ દર્શકોને એક વ્‍યાપક સિનેમેટિક અનુભવ પહોંચાડવાનો હેતુ ધરાવે છે

Related posts

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

Ahmedabad Samay

અમદાવાદ: ઉત્તર, મધ્ય બાદ હવે દક્ષિણ ગુજરાતમાં માવઠું! આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો