April 10, 2026
ગુજરાત

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી ચર્ચાનો વિષય રહેલી આ ફિલ્‍મને ૨૦૨૬ માં સમગ્ર ભારતમાં રિલીઝ થનારી મુખ્‍ય ફિલ્‍મમાંની એક માનવામાં આવે છે.

નાગબંધમનું દિગ્‍દર્શન અભિષેક નામા દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મમાં વિરાટ કર્ણ, નભા નટેશ, જગપતિ બાબુ અને રિષભ સાહની મુખ્‍ય ભૂમિકાઓમાં જોવા મળશે. નિર્માણ કિશોર અન્નાપુરેડ્ડી અને નિશિતા નાગિરેડ્ડી દ્વારા કરવામાં આવ્‍યું છે. અભિષેક નામાએ વાર્તા, સ્‍ક્રીનપ્‍લે અને દિગ્‍દર્શનની જવાબદારીઓ પણ સંભાળી છે.

ફિલ્‍મ જાહેરાત થઈ ત્‍યારથી, નાગબંધમ ૨૦૨૬ ની સૌથી વધુ ચર્ચિત ફિલ્‍મોમાં ગણાય છે. આ ફિલ્‍મની વાર્તામાં ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસામાં ઊંડા મૂળ જોવા મળશે, તેમાં દેશના ભવ્‍ય ભૂતકાળ અને તેના સુવર્ણ યુગમાંથી પ્રેરણા લેવામાં આવી છે. આ ફિલ્‍મ ભારતીય સિનેમામાં ભાગ્‍યે જ દર્શાવવામાં આવતા પૌરાણિક કથાઓના પાસાઓ પણ ઉજાગર કરશે.

ફિલ્‍મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં જાદુઈ દુનિયાની રહસ્‍યમય ઝલક બતાવવામાં આવી છે. ફિલ્‍મ નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્‍મમાં ભવ્‍ય વિઝ્‍યુઅલ્‍સ, વીએફએકસ, શક્‍તિશાળી બેકગ્રાઉન્‍ડ સ્‍કોર અને પ્રભાવશાળી પાત્રોનું આકર્ષક સંયોજન દર્શાવવામાં આવશે. ટીમ સતત પાત્રના પોસ્‍ટરો અને અન્‍ય અપડેટ્‍સ રિલીઝ કરી રહી છે.

નાગબંધમ સમગ્ર્ર ભારતમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્‍મ નિર્માતાઓને દર્શકો તરફથી સકારાત્‍મક સ્‍વાગતની અપેક્ષા છે. ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્‍મ દર્શકોને એક વ્‍યાપક સિનેમેટિક અનુભવ પહોંચાડવાનો હેતુ ધરાવે છે

Related posts

યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો