February 8, 2026
ડેમેજ રોડ
ગુજરાત

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

પાલડી, નારણપુરા, નવરંગપુરા ઉપરાંત ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહીતના વિસ્તારમાં સૌથી વધુ ૧૬૦૦થી વધુ ખાડા પડયા છે.

નવાઈની વાત એ છે કે કેટલાક વિસ્તારના રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરાયા પછી ફરી વરસાદ પડતા ફરી એ જ સ્થળે ખાડા પડે છે. લોકોને પડતી હાલાકીની કોર્પોરેશનના અધિકારીઓને પડી નથી.એમને તો બસ તેમની ઉપરના સાહેબને અમે આટલા ખાડા પુર્યા એ બતાવવુ છે.

શહેરના સૌથી વધુ વિકસિત એવા એલિસબ્રિજ,પાલડી,વાસણા, નારણપુરા, નવરંગપુરા હોય કે નવા વાડજ, રાણીપ અથવા તો ચાંદખેડા આ તમામ વિસ્તારોમાં એક મહિનામાં ૧૬૧૩ ખાડા અને ૧૧૩ ભુવા મળી કુલ ૧૭૬૫ ખાડા પડયા હતા.જે તમામનુ સમારકામ કરી દેવાયુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહીત અન્ય વિસ્તારના રોડ ૬૪૮ ખાડા પડયા હતા.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે શહેરના વિવિધ રોડ ઉપર પડેલા ત્રણ હજારથી પણ વધુ ખાડા ત્રણ દિવસમાં પુરવા સુચના આપી હતી. આ પછી તમામ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડા પુરવાની શરુઆત કરાઈ છે. પરંતુ ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવતુ નહીં હોવાથી ફરી એજ સ્થળે ખાડા પડી જતા હોય છે.

Related posts

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત “હાર્દિક ઇન મોદી રાજ” નું કેરીકેચર ત્રિસ્તુતિ સંઘના અખિલ ભારતીય પ્રમુખ શ્રી વાઘજીભાઈ વોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો