March 23, 2026
ડેમેજ રોડ
ગુજરાત

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

પાલડી, નારણપુરા, નવરંગપુરા ઉપરાંત ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહીતના વિસ્તારમાં સૌથી વધુ ૧૬૦૦થી વધુ ખાડા પડયા છે.

નવાઈની વાત એ છે કે કેટલાક વિસ્તારના રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરાયા પછી ફરી વરસાદ પડતા ફરી એ જ સ્થળે ખાડા પડે છે. લોકોને પડતી હાલાકીની કોર્પોરેશનના અધિકારીઓને પડી નથી.એમને તો બસ તેમની ઉપરના સાહેબને અમે આટલા ખાડા પુર્યા એ બતાવવુ છે.

શહેરના સૌથી વધુ વિકસિત એવા એલિસબ્રિજ,પાલડી,વાસણા, નારણપુરા, નવરંગપુરા હોય કે નવા વાડજ, રાણીપ અથવા તો ચાંદખેડા આ તમામ વિસ્તારોમાં એક મહિનામાં ૧૬૧૩ ખાડા અને ૧૧૩ ભુવા મળી કુલ ૧૭૬૫ ખાડા પડયા હતા.જે તમામનુ સમારકામ કરી દેવાયુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહીત અન્ય વિસ્તારના રોડ ૬૪૮ ખાડા પડયા હતા.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે શહેરના વિવિધ રોડ ઉપર પડેલા ત્રણ હજારથી પણ વધુ ખાડા ત્રણ દિવસમાં પુરવા સુચના આપી હતી. આ પછી તમામ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડા પુરવાની શરુઆત કરાઈ છે. પરંતુ ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવતુ નહીં હોવાથી ફરી એજ સ્થળે ખાડા પડી જતા હોય છે.

Related posts

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો