February 5, 2026
ડેમેજ રોડ
ગુજરાત

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

પાલડી, નારણપુરા, નવરંગપુરા ઉપરાંત ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહીતના વિસ્તારમાં સૌથી વધુ ૧૬૦૦થી વધુ ખાડા પડયા છે.

નવાઈની વાત એ છે કે કેટલાક વિસ્તારના રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરાયા પછી ફરી વરસાદ પડતા ફરી એ જ સ્થળે ખાડા પડે છે. લોકોને પડતી હાલાકીની કોર્પોરેશનના અધિકારીઓને પડી નથી.એમને તો બસ તેમની ઉપરના સાહેબને અમે આટલા ખાડા પુર્યા એ બતાવવુ છે.

શહેરના સૌથી વધુ વિકસિત એવા એલિસબ્રિજ,પાલડી,વાસણા, નારણપુરા, નવરંગપુરા હોય કે નવા વાડજ, રાણીપ અથવા તો ચાંદખેડા આ તમામ વિસ્તારોમાં એક મહિનામાં ૧૬૧૩ ખાડા અને ૧૧૩ ભુવા મળી કુલ ૧૭૬૫ ખાડા પડયા હતા.જે તમામનુ સમારકામ કરી દેવાયુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહીત અન્ય વિસ્તારના રોડ ૬૪૮ ખાડા પડયા હતા.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે શહેરના વિવિધ રોડ ઉપર પડેલા ત્રણ હજારથી પણ વધુ ખાડા ત્રણ દિવસમાં પુરવા સુચના આપી હતી. આ પછી તમામ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડા પુરવાની શરુઆત કરાઈ છે. પરંતુ ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવતુ નહીં હોવાથી ફરી એજ સ્થળે ખાડા પડી જતા હોય છે.

Related posts

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

નરહરિ અમીન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: સત્તાધાર બ્રિજ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે હાટકેશ્વર ફ્લાયઓવર ‘ભૂલ’નું પુનરાવર્તન!

admin

શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણ દિવસ થી તાવ હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો