નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું, રી-એજ્યુકેશનના સંસ્થાપક અને મેમોરી ટ્રેનર શ્રી હિતેશ સરધારા દ્વારા નિકોલ ખાતે આવેલ શહીદ વીર ભગતસિંહ ઓડિટોરિયમ ખાતે
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મેમોરી ટેક્નિસ બતાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ૧ થી ૧૦૦ સુધીના ઘડિયા, લાંબા સવાલોના જવાબ મિનિટોમાં કેવી રીતે યાદ કરવા જેવી અનેક ટેક્નિકઓનું અને વિદ્યાર્થીઓ સાથે સાથે તેમના માતા પિતા માટે ૬ જેટલી પાવરફુલ પેરેન્ટીગ ટિપ્સ પણ આપવામાં આવી હતી,
રીએજ્યુકેશન દ્વારા સુરત, વડોદરા, આંનદ, અમદાવાદ અને ગુજરાતના અનેક શહેરોમાં આ ટેક્નિકસ ની તાલીમ આપતી સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવી છે, અમદાવાદમાં નિકોલ, વસ્ત્રાલ, નરોડા અને ગોતા ખાતે સંસ્થા શરૂ કરવામાં આવી છે,
