June 22, 2026
ગુજરાત

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

માર્ચ  થી ચાલી રહેલા લોકડાઉનમાં ૦૨ બાદ લોકડાઉન ૦૩ ઝોન વાઇસ થોડી છુટ સાથે  લાગુ કરવામાં આવ્યું છે,

સમગ્ર દેશમાં લોકડાઉન ૦૩ માં છૂટછાટ અપાતા એક દિવસ બાદ કોરોનાના વાયરસથી સંક્રમિત કેસોમાં ચિંતા જનક વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં માત્ર ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૯૦૦ થી વધુ નવા કેસ સામે આવ્યા છે અને સૌથી વધુ ૧૯૫ લોકોના મોત થયા છે. મે મહિનામાં કેસ સતત વધી રહ્યા છે. માત્ર ૪ દિવસમાં   ૧૦,૦૦૦ જેટલા નવા કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે કોરોના વાયરસના કેસ વધીને ૪૬૪૩૩ થયા છે. જેમાં ૩૨૧૩૪ એકટીવ કેસ છે. ૧૨૭૨૭ને રજા આપવામાં આવી છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૮૩ લોકોના મોત થયા છે. ૧૭૫૯૮ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. ગુજરાત, દિલ્હી, પંજાબ, તામીલનાડુ, હરીયાણા અને જમ્મુ કાશ્મીરમાં નવા કેસો આવ્યા છે. દેશમાં માત્ર ૪ દિવસમાં જ ૧૦૪૬૨ નવા કેસ આવ્યા છે. ગઈકાલે જ ૨૯૦૦ નવા કેસ નોંધાયા  હતા. કોરોના વાયરસની રફતાર હાલ ૬.૧ ટકા છે. જો આ સ્પીડ ૭.૧ ટકા થઈ જશે તો આવતા સપ્તાહે ૬૮૦૦૦ કેસ થઈ જશે અને ૬.૧ ટકાની સ્પીડ રહેશે તો ૬૪૦૦૦ કેસ થશે. ૫.૧ ટકા સ્પીડ થશે તો ૬૦,૦૦૦ અને ૪.૧ ટકાની સ્પીડ રહેશે તો આવતા સપ્તાહ સુધીમાં ૫૬૦૦૦ કેસ થશે. એવા રાજ્યો છે જ્યાં રોજ ૧૦૦થી વધુ કેસ નોંધાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તામીલનાડુ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. સપ્તાહના આંકડા જોઈએ તો ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. ૧લી મેના રોજ ૨૩૯૬ નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે ૨૯૦૦ કેસ  નોંધાયા હતા.

ઝોન વાઇસ લોકડાઉન માં છુટ આપતા સમગ્ર દેશમાં નવા કેસમાં સતત વધારો જોવા મળતી રહ્યો છે, દેશમાં ચિંતા જનક કેસોની સંખ્યા વધવા લાગી છે,

Related posts

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો