
નિમેષભાઈ જોષી
આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવ ને પોતાના કર્મોનું ફળ તો ભોગવવુંજ પડે છે. જેમ અનેક ગાયોની વચ્ચે રહેલ વાછરડું પોતાની માતાને શોધી જ લે છે તેવી રીતે દરેક વ્યક્તિના કરેલ સારા કે ખરાબ કર્મોનું ફળ તે વ્યક્તિને શોધી લે છે.
આપણને મળેલ આ મનુષ્ય જન્મ નો સદુપયોગ કરીને જો સારા કર્મો કરતાં જાઈએતો જ આ મનુષ્ય જન્મ સાર્થક કહેવાય. જીવનમાં સત્યને અપનવવાથી જ આ જન્મ ને સાર્થક કરી શકાય છે. આહાર માં, વિહારમાં ,બોલવામાં,ચાલવામાં,હરવા ફરવામાં,વિચારવામાં,.. એમ જીવનની પ્રત્યેક ક્રિયામાં જો સત્ય ને સાથે રાખીને જ કર્મ કરવામ આવે તો જીવનને અંતે મનુષ્યને આત્યંતિક કલ્યાણ જરૂરથી પ્રાપ્ત થાય છે.
શ્રીમદ ભગવદગીતા
જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩
