April 7, 2026
ગુજરાતધર્મ

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ બપોરે 12 વાગ્યે ડભોડિયા હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને દાદાના જન્મજયંતિ નિમિતે 151 કિલોની કેક કાપવામાં આવી હતી , જેમાં હજારો શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા,

હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંદિર પ્રશાસન દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસાદનો લાભ અંદાજે 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ લેશે તેવી શક્યતા છે. આ માટે ખૂબ જ મોટા પાયે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1500 કિલો લોટના લાડુ, 1800 કિલો લોટની પૂરી, 1800 કિલો બટાકાનું શાક, 600 કિલો ચણાનું શાક, 500 કિલો તુવેરની દાળ અને 300 કિલો ચોખાના ભાત તૈયાર કરવામાં આવ્યા છે.

Related posts

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો