અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા ગણતરીના દિવસોમાં પુરાઈ જશે. કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના આપી દેવામાં આવી છે.
શહેરમાં રહેલા ખાડા સાત દિવસમાં પુરવા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદ કરાઈ છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ સૂચના આપવામાં આવી છે. કોઈપણ ખાડો સાત દિવસ બાદ ખુલ્લો ના રહે તેવી તાકીદ કરાઈ છે.
આજથી એક પણ ખાડા ખોદવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
