May 8, 2026
ગુજરાતરાજકારણ

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

New up 01

” ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું છે કે ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ કે, હોસ્પીટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂ હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ બચાવવા  પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઈ રહેલા ૨૫ જેટલા દર્દીઓના જીવ બચાવ્યા છે.

અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહપૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથિ જાળવી રાખી હતી. ઍટલા માટે ઍમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.”

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

આજ થી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો