June 23, 2026
AMC
ગુજરાત

AMC દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનો અને સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આસિસ્ટન્ટ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિતની વિવિધ કેડરની કુલ 250 ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આવકારવામાં આવી રહી છે.

​આ ભરતી પ્રક્રિયા અંતર્ગત માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (ગ્રેજ્યુએશન) પૂર્ણ કરનાર ઉમેદવારો આ સરકારી નોકરી માટે લાયક ઠરશે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જગ્યાઓ માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ આગામી 7 જુલાઈ પહેલાં પોતાની અરજી સુપરત કરી દેવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન માધ્યમથી જ ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીમાં સરકારના નિયમોનુસાર અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં શરતોને આધીન છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે. લાંબા સમય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાસ-3 સ્તરની આટલી મોટી ભરતી આવી હોવાથી અરજદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ફોર્મ ભરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરી લેવા અને છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાથી બચવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો